PM મોદીએ એક વાર ફરી ઉત્તર પ્રદેશની ચૂંટણી રેલીમાં યુક્રેન-રશિયા સંકટનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનભદ્રમાં એક જનસભાને સંબોધતા કહ્યું કે, 'ભારતનું આ વધતું સામર્થ્ય છે કે, અમે યુક્રેનમાં ફસાયેલા આપણા દેશના નાગરિકોને બચાવવા માટે આટલું મોટું અભિયાન (operation ganga) ચલાવી રહ્યાં છીએ. ઓપરેશન ગંગા હેઠળ હજારો નાગરિકોને દેશમાં પરત લાવવામાં આવ્યાં.'
PM મોદીએ એક વાર ફરી મોકો જોઇને વિપક્ષ પર કર્યા પ્રહાર
UP ચૂંટણી રેલીમાં યુક્રેન-રશિયા સંકટનો કર્યો ઉલ્લેખ
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવાનું અભિયાન એ દેશનું વધતું જતું સામર્થ્ય
વધુમાં તેમણે જણાવ્યું કે, 'સંકટમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત નીકાળવા માટે આપણી સેના અને વાયુસેનાને પણ તૈનાત કરી દેવાઇ છે. આજે હું દેશની જનતાને પણ ખાતરી આપું છું કે, ભારત સરકાર તેના નાગરિકોની સુરક્ષિત વાપસી માટે કોઈ જ કસર નહીં છોડે.'
We're making all efforts to evacuate people stuck in #Ukraine under Operation Ganga. 1000s of citizens brought back to India. To accelerate this mission, India has sent its 4 ministers there, will leave no stone unturned for the safe passage of Indians: PM Modi in Robertsganj, UP pic.twitter.com/PCYhMhUuEH
ઘોર પરિવારવાદી લોકો ભારતને ક્યારેય મજબૂત નહીં બનાવી શકે : PM
વિપક્ષ પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, 'જે લોકો આત્મનિર્ભર ભારત અભિયાનની મજાક ઉડાવે છે, ભારતની સેનાનું અપમાન કરે છે, ભારતના ઉદ્યમીઓના મેક ઇન ઈન્ડિયા અભિયાનની મજાક ઉડાવે છે. તે ઘોર પરિવારવાદી લોકો ભારતને ક્યારેય મજબૂત નહીં બનાવી શકે.' વધુમાં કહ્યું કે, 'આ નિંદા કરનારાઓએ દરેક પગલે ભારતનું અપમાન કરવામાં કોઈ જ કસર નથી છોડી. આ અપમાન યુપીના લોકોનું અપમાન છે. આઝાદી પછી જ્યારે પણ આ લોકોને સરકાર બનાવવાની તક મળી ત્યારે તેઓએ તમને પાછળ રાખવાનું કામ કર્યું, આવાં લોકોને ક્યારેય માફ કરશો નહીં.'
It is due to India's rising strength that we are able to safely evacuate our nationals stuck in #Ukraine, for which we are running #OperationalGanga: PM Modi at a rally in Robertsganj, UP pic.twitter.com/FZ2FWd8yYg
યુક્રેનમાં ફસાયેલા બાળકો માટે સરકાર કંઇ જ નથી કરી રહી : અખિલેશ યાદવ
આ પહેલાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવે જૌનપુરમાં એક જનસભા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'વિશ્વના બાકીના દેશો પોતાના નાગરિકો સાથે રવાના થઇ ગયા છે, ત્યારે શું ભારત સરકાર સૂઈ રહી છે? યુક્રેનમાં હજુ પણ હજારો બાળકો ફસાયેલા છે કે જેના માટે સરકાર કંઈ જ નથી કરી રહી.'