ઉત્તર પ્રદેશમાં ફરીવાર ભાજપની મહેનત રંગ લાવી છે. યોગી આદિત્યનાથ પ્રચંડ બહુમતિ સાથે જીત તરફ આગળ વધી રહ્યા છે અને ઉત્તર પ્રદેશના કોંગ્રેસ, બસપા અને સપાના મોટા માથાઓ હાર્યા છે. ત્યારે આ જીત પાછળ મુખ્ય 15 કારણ જવાબદાર છે.
ઉત્તર પ્રદેશમાં ફરી યોગી સરકાર
જીત માટેના 15 કારણો રહ્યા જવાબદાર
PM મોદી અને યોગી આદિત્યનાથની મહેનત લાવી રંગ
મળતી વિગતો પ્રમાણે, યોગી આદિત્યનાથને સંસદીય બોર્ડના મેમ્બર બનાવવામાં આવી શકે છે. હોળીની આસપાસ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સંસદીય બોર્ડની પૂર્નરચના કરી શકે છે, જેમાં યોગી આદિત્યનાથને બોર્ડમાં સામેલ કરવામાં આવી શકે છે.
યોગી આદિત્યનાથને સંસદીય બોર્ડના મેમ્બર બનાવવામાં આવી શકે
જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક સમયગાળાથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વર્ચસ્વ વધી રહ્યું છે. ત્યારે સત્તાવાર રીતે બોર્ડના સભ્ય તરીકે તેમના નામની જાહેરાત 18-20 માર્ચ દરમિયાન થઈ શકે છે. ત્યારે ભાજપની ઉત્તરપ્રદેશમાં
ઉત્તરપ્રદેશમાં ભાજપની જીતના 15 કારણો
યોગી આદિત્યનાથનો 5 વર્ષનો કાર્યકાળ લોકોને પસંદ આવ્યો
પ્રધાનમંત્રી મોદી અને CM યોગીના ચહેરા પર ચૂંટણી લડ્યા
ભાજપે ફરી વખત યોગીને મુખ્યમંત્રી પદના દાવેદાર જાહેર કર્યા
બુથ સ્તરેથી લઈને ચૂંટણીના મુદ્દા સુધી સચોટ રણનીતિ ઘડી
કેન્દ્રીય મંત્રીઓને અલગ-અલગ વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી
જાટ નેતાઓ સાથે અમિત શાહે બેઠક કરી મનાવવાના પ્રયાસ કર્યા
SP, કોંગ્રેસમાંથી અનેક દિગ્ગજ નેતાઓને પાર્ટીમાં સામેલ કર્યા
ટિકિટ વહેંચણીમાં યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવી
કોરોનાકાળમાં ડોર ટુ ડોર કેમ્પેઈન, વર્ચ્યુઅલ રેલી કરી મતદારો સુધી પહોંચ્યા
ખેડૂત આંદોલન સમયે ઉઠેલો રોષ મતમાં ન પરિણમ્યો
પશ્ચિમ ઉત્તરપ્રદેશને પ્રાથમિકતા આપી જેવર એરપોર્ટનું લોકાર્પણ કર્યું
કાશી વિશ્વનાથ કોરિડોરનું પ્રધાનમંત્રી મોદીએ ઉદઘાટન કર્યું
અયોધ્યામાં મંદિર નિર્માણનું કાર્ય
બાહુબલી સામેની કાર્યવાહીથી યોગી સરકારની છાપ લોકોમાં સકારાત્મક કરી
કોંગ્રેસ અને BSPના મોટા નેતાઓ મજબૂતીથી સક્રિય ન રહ્યા
ઉત્તર પ્રદેશમાં ફરી યોગી સરકાર નક્કી
યુપીમાં ફરી એકવાર યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદીનો જાદુ કામ કરતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે યુપીમાં ભાજપને બહુમતી મળતી દેખાઈ રહી છે. અત્યાર સુધી 403માંથી 399 સીટો પર આવેલા ટ્રેન્ડ મુજબ ભાજપ 274 સીટો પર આગળ છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. તે જ સમયે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના દરેક પ્રયાસ નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. કોંગ્રેસનું પ્રદર્શન ફરી એકવાર ખૂબ જ નિરાશાજનક રહ્યું છે.
ઉત્તરપ્રદેશ વિધાનસભા 2022ની ચૂંટણીના પરિણામોમાં બીજેપીની સરકાર બનતી જોવા મળી રહી છે. શરુઆતી રુઝાનોમાં બીજેપીએ બહુમતીનો જાદુઇ આંકડો પાર કરી લીધો છે. આ તરફ કાંટેની ટક્કર આપનાર સપા હજી 3 આકંડા સુધી પણ પહોંચી શક્યુ નથી. ચૂંટણીના આ શરુઆતી પરિણામો જ જણાવી રહ્યા છે કે યોગી આદિત્યનાથ સામે નોઇડા વાળી માન્યતા પણ તૂટતી જણાઇ.
હું આ માન્યતા તોડીને રહીશ- યોગી આદિત્યનાથ
એવુ માનવામાં આવે છે કે જે પણ સીએમ નોઇડા આવે છે તેઓનો ખુરશી મળતી નથી એટલે કે સત્તા મળતી નથી. એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યુમાં સીએમ યોગી આદિત્યનાથે આ માન્યતાને તોડવાની વાત કહી હતી. તેમણે જણાવ્યું કે જે યુપીમાં 1985થી ચાલી આવે છે તેને હું તોડીને જ રહીશ અને ફરીથી કમબેક કરીશ. મહત્વનું છે કે છેલ્લા 37 વર્ષથી ઉત્તર પ્રદેશમાં કોઈ નેતા સતત બે ટર્મ સુધી સીએમ પદ સંભાળી શક્યા નથી.
નોઈડાની વાળી માન્યતા તૂટી
ત્રણ દાયકાથી રાજકારણના સૌથી મોટા રાજ્યમાં અન્ય એક માન્યતા રહી છે. એટલે કે જે પણ સીએમ નોઈડામાં આવે છે તેની ખુરશી જતી રહે છે. તે ફરી સત્તાની સીટ પર બેસી શકતા આવી માન્યતા યુપીમાં 1988 થી યથાવત છે. ત્યારે તત્કાલીન સીએમ વીર બહાદુર સિંહ પ્રથમ વખત નોઈડા આવ્યા હતા અને આગામી ચૂંટણી હારી ગયા હતા. તેમના પછી, નારાયણ દત્ત તિવારી સીએમ બન્યા અને 1989 માં નોઈડાના સેક્ટર 12 માં નેહરુ પાર્કનું ઉદ્ઘાટન કર્યું. થોડીવાર પછી તિવારીની ખુરશી જતી રહી હતી.
નોઇડા આવતા ડરી રહ્યા હતા મંત્રીઓ
આ માન્યતાએ મંત્રીઓમાં એવો ડર પેદા કર્યો હતો કે તેઓ નોઇડા જતા પહેલા વિચાર કરતા. વર્ષ 2000માં એક ઘટના બની હતી જે આ વાતની પુષ્ટિ કરે છે. વાત એમ હતી કે તે સમયે રાજનાથ સિંહ યુપીના સીએમ હતા. તેઓ ડીએનડી ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવા માંગતા હતા, પરંતુ નોઈડા આવવા માંગતા ન હતા. તેમણે નોઈડાને બદલે દિલ્હીથી ઉદ્ઘાટન કર્યું હતું. જો કે તેઓ નોઈડા આવ્યા ન હતા, પછી તેમની ખુરશી રહી ન હતી.
માયાવતી પણ હારી ગયા ચૂંટણી
વર્ષ 2011માં માયાવતીએ નોઈડા આવવાની હિંમત કરી અને 2012ની ચૂંટણીમાં તેઓ હારી ગયા. તે જ સમયે, સીએમ બન્યા પછી, યોગી આદિત્યનાથ પણ થોડો સમય નોઇડાથી દૂર રહ્યા હતા, પરંતુ તેઓ કાલકાજી મેટ્રો લાઇનના ઉદ્ઘાટન પ્રસંગે નોઇડા આવ્યા હતા.
ઉત્તર પ્રદેશના પરિણામ પર હેમા માલિનીનું નિવેદન
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ પર ભાજપ નેતા અને અભિનેત્રી હેમા માલિનીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મોંઘવારી આગળ-પાછળ થતી રહે છે. સરકાર પણ બદલતી રહે છે, પરંતુ મુદ્દો મહિલાઓને સુરક્ષા આપવાનો છે. મહિલાઓ બીજી સરકારમાં ખૂબ પરેશાન હતી. હવે ભાજપના સાશનમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં સુરક્ષિત છે.
5 રાજ્યોના ચૂંટણી પરિણામો પર જીતુ વાઘાણીનું નિવેદન
5 રાજ્યોના ચૂંટણી પરિણામો પર જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી. તેમણે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે, પાંચેય રાજ્યોમાંથી કોંગ્રેસને સફાયો થયો છે. હારના કારણે કોંગ્રેસમાં નિરાશાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના માનસમાં 2020ની સ્પષ્ટ હાર જોવા મળી રહી છે. સાથે તેમણે પાંચેય રાજ્યોની જનતાનો આભાર માનીને કહ્યું કે, દેશવાસીઓએ સર્વ સમાવેશી વિકાસયાત્રાને સ્વિકારી છે. પ્રધાનમંત્રી મોદીના નૈતૃત્વમાં રામ મંદિર, કાશી, સર્જિકલ સ્ટ્રાઈક જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેને કારણે યુપી વાયા 2022 ગુજરાત અને 2024 માટે ફરી પાછો દિલ્લીનો રસ્તો ખુલ્યો છે. મતદાતાઓએ આ રસ્તો પસંદ કર્યો છે. જેથી ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધુ રહ્યું છે. સાથે જ જીતુ વાઘાણીએ ગુજરાતની ચૂંટણીને લઇને પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણી આવે, ભાજપ લડવા માટે તૈયાર છે. જો કે, સામાન્ય રીતે ચૂંટણીઓ સમયસર જ યોજાતી હોય છે, પરંતુ ચૂંટણી આયોજનનો નિર્ણય ચૂંટણીપંચ કરતું હોય છે.