યુપીના ધર્માંતરણ અને હવાલાકાંડ મામલે યુપી ATSએ યુપીના મૌલાના ગૌતમ અને વડોદરાના સલાઉદ્દીન શેખની ધરપકડ
યુપીનો હવાલાકાંડ અને ધર્માંતરણનો મામલો
યુપી ATSએ બંને આરોપની કરી ધરપકડ
મૌલાના અને સલાઉદ્દીનની ધરપકડ
યુપીના હવાલાકાંડ અને ધર્માંતરણ મામલે યુપી ATSએ બંને આરોપીઓની ધરપકડ કરી છે, યુપીના મૌલાના ગૌતમ અને વડોદરાના સલાઉદ્દીન શેખની ધરપકડ કરી હવે યુપી ATS દ્વારા બંનેની વધુ પૂછપરછ કરવામાં આવશે, મહત્વનું છે કે હાલ બંને આરોપીઓ વડોદરા પોલીસના રિમાન્ડમાં છે અને સમગ્ર કેસની તપાસ વડોદરા SITની ટીમ કરી રહી છે ત્યારે હવે યુપી ATS બંનેનો ચાર્જ સંભાળશે.
યુપી ATSએ બંને આરોપની કરી ધરપકડ
ઉલ્લેખનિય છે કે આફમી ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ છે, ગઈ કાલે પણ SITની પૂછપરછમાં થયા અનેક મોટા ખુલાસા થયા હતા જેમાં સલાઉદ્દીને સ્વીકાર્યું કે તેણે પોલીસને ખોટી માહિતી આપી હતી અને ધર્માંતરણ માટે હવાલાથી રૂપિયા આવે છે તેવું પણ સલાઉદ્દીન કબુલ્યુ હતું, બંને ટ્રસ્ટીઓનું ક્રોસ ઇન્ટ્રોગેશન પણ કરાયુ હતું જેમાં SITની પુછપરછમા અનેક રાજ ખુલ્યા છે હવે 6 માંથી 2 ટ્રસ્ટીઓનું ક્રોસ ઇન્ટ્રોગેશન કરાશે ત્યારે SIT તપાસમા વધુ ખુલાસા બહાર આવે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે.
યુપીના ધર્માંતરણ અને હવાલાનો કેસ
યુપીના ધર્માંતરણ અને હવાલા કેસમાં SITની તપાસમાં નવા ખુલાસા સામે આવ્યા છે. જેમાં સલાઉદ્દીન શેખે હરિયાણા, લખનઉ અને આસામમાં નાણા મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. સલાઉદ્દીને 58 લાખ રૂપિયા હવાલાથી મોકલ્યા હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં મેવાતમાં મૌલાનાને 16 લાખ, ખલનઉમાં 15 લાખ તેમજ આસામમાં 3 મસ્જિદ માટે 19.50 લાખ રૂપિયા મોકલ્યા હોવાનું SIT તપાસમાં ખુલ્યું છે.
તપાસમાં થઇ રહ્યાં છે નવા ખુલાસા
મહત્વનું છે કે વડોદરમા ચકચાર મચાવનાર હવાલાકાંડ અને ધર્માંતરણ કેસમાં ભુજની મસ્જિદ માટે ફંડિગ કરાયું હોવાનું પણ સામે આવ્યું છે. યુપી ATSની તપાસમાં ધર્માંતરણ માટે 100 કરોડનું વિદેશી ફંડ મળ્યું હોવાનું ખૂલતા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભુજમાં તપાસ હાથ આવી કરી છે ઉત્તર પ્રદેશ SIT પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને તપાસ કરવામાં આવશે.
SIT કરી રહી છે સમગ્ર મામલાની તપાસ
હવાલા કેસમાં આ નાણાંનો ઉપયોગ ધર્માંતરણ, CAAના આરોપીઓને છોડાવવા માટે થયો હોવાનું મનાય છે. સલાઉદ્દીન ગેરકાયદેસર પ્રવિૃતિઓમાં નાણાંનો ઉપયોગ કરતો અને હવાલા મારફતે રૂપિયાથી સરકાર વિરુદ્ધ કોમી તોફાનો કરાવાતા હતા મહત્વનું છે કે SITની તપાસમાં રોહિંગ્યા મુસ્લિમો સાથે કનેક્શન પણ બહાર આવ્યું છે આરોપી સલાઉદ્દીન શેખનું રોહિંગ્યા મુસ્લિમો સાથે કનેક્શન બહાર આવતા SITએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.