કોરોનાના દર્દીઓને મોટી રાહત આપતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એલાન કર્યું છે કે રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કોરોનાના દર્દીઓને ફ્રીમાં રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવશે.
કાળાબજારીમાં ઝડપાશે તેમના વિરૂદ્ધ NSA હેઠળ કાર્યવાહી
મુખ્યમંત્રી તરફથી મંગળવારે આ એલાન કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી હોસ્પિટલોને આ ઇન્જેક્શન સરકાર ઉપલબ્ધ કરાવશે પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલોને આને કંપનીઓ અને માર્કેટથી ખરીદવા પડશે. જો પ્રાઇવેટ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ નથી અને જો આ દર્દી માટે ખુબ જ જરૂરી છે તેવી સ્થિતિમાં ડીએમ અને સીએમઓ દર્દીઓને આ ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવશે.
કાળાબજારી કરનારા પર NSA
મુખ્યમંત્રીએ એ પણ આદેશ આપ્યો કે અલગ અલગ જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ રેમડેસિવિરની જરૂરી સપ્લાઈ કરાવવામાં આવે. યોગી આદિત્યનાથે ચેતવણી આપી છે કે જે લોકો કોવિડ દવાઓની કાળાબજારીમાં ઝડપાશે તેમના વિરૂદ્ધ NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
દાખલ કરવાની ના ના પાડી શકે હોસ્પિટલ
આ પહેલા સોમવારે મુખ્યમંત્રી યોગીએ અધિકારીઓને આદેશ આપ્યા કે તેઓ નક્કી કરે કે સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલ દર્દીઓને ભરતી કરવાની ના ના પાડી શકે. સીએમએ કહ્યું કે, જો હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ છે તો કોઈ પણ હોસ્પિટલ ભલે તેઓ સરકારી કે પ્રાઇવેટ, દર્દીઓને પરત નહીં મોકલી શકે.
ગરીબોને ફ્રી માસ્ક
આ સિવાય રાજ્ય સરકારના નિર્દેશ છે કે 50 ટકા 108 એમ્બ્યુલન્સ સેવાઓ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગ કરવામાં આવે જેથી કોરોના સંક્રમિતોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. આ પહેલા ગત રવિવારે સીએમ યોગીએ નિર્દેશ કર્યા છે કે કોરોનાતી જીવ ગુમાવનારા મૃતકોના અંતિમ સંસ્કાર માટે કોઈ પૈસા ન લેવામાં આવે. આ સિવાય તેમણે ગરીબ વર્ગોના લોકોને ફ્રીમાં માસ્ક વહેંચવાનો પણ આદેશ આપ્યો છે.