મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતાનુ આજે સવારે 10.44ના રોજ નિધન થયું છે. તેઓ બહું બિમાર હોઈ એમ્સમાં તેમની સારવાર ચાલી રહી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતાને દિલ્હીના એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
હાલમાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા
તેમની કિડની અને લિવરની સમસ્યા હતી
યોગીના પિતા ફોરેસ્ટ રેન્જમાંથી નિવૃત્ત
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતાનુ આજે સવારે 10.44ના રોજ નિધન થયું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટને દિલ્હીના એમ્સમાં ભર્તી કરવામાં આવ્યા હતા. તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમની હાલત વધારે ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું હતુ. તેમને લિવર અને કિડનીની સમસ્યા હતી. ઉલ્લેખનીય છે કે તેમને 13 માર્ચના રોજ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ગેસ્ટ્રો વિભાગના ડૉક્ટર વિનીત આહુજાની ટીમ દ્વારા તેમની સારવારા કરવામાં આવી રહી હતી.
રાજ્યના અધિક મુખ્ય સચિવ(ગૃહ) અવનીશ કે . અવસ્થીએ ટ્વીટ કરી યોગીના પિતાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ હતું.
मुख्यमंत्री योगी आदित्यनाथ के पिता जी का आज सुबह 10.44 बजे स्वर्गवास हुआ। उनके साथ हमारी गहरी संवेदनाएं हैं: राज्य के अतिरिक्त मुख्य सचिव (गृह) अवनीश के.अवस्थी (फाइल तस्वीर में - अतिरिक्त मुख्य सचिव गृह) pic.twitter.com/rCR4a2PxRv
ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથના પિતા આનંદસિંહ ઉત્તરાખંડના યમકેશ્વરના પંચૂર ગામમાં રહેતા હતા. તે ઉત્તરાખંડમાં ફોરેસ્ટ રેન્જના પદ પરથી 1991માં નિવૃત્ત થયા હતા. તે બાદથી તે પોતાના ગામમાં રહેતા હતા.
માત્ર આ સમયે જ યોગી પરિવારને મળતા
યોગી આદિત્યનાથ નાનપણમાં જ પોતાનો પરિવાર છોડી ગોરખપુર મહંત અવદ્યનાથની પાસે આવી ગયા હતા. પછીથી આદિત્યનાથે મહંતના રુપમાં અવદ્યનાથની જગ્યા લઈ લીધી. ઉત્તરાખંડમાં ચૂંટણીના સમયે તે ચૂંટણી પ્રચાર માટે જતા હતા. તે સમયે તેમના પરિવારજનો તમને મળતા હતા.
સીએમ યોગીએ બેઠક કરી
મળતી માહિતી પ્રમાણે સીએ યોગીએ રવિવારે સાંજે જિલ્લાધિકારીઓની સાથે વીડિયો કોન્ફરન્સિગ બેઠક કરી હતી. સીએમ યોગીએ કમામ જિલ્લાધિકારીઓને લોકડાઉનનું કડકાઈથી પાલન કરવાનો નિર્દેશ કર્યો છે. તેમણે કહ્યું છે કે 20 એપ્રિલથી લોકડાઉન દરમિયાન ગતિવિધિઓમાં છુટ બાબતે નિર્ણય સ્થાનિક સ્તરની પરિસ્થિતિ જોઈને જિલ્લાધિકરી પોતાની સુજબુઝ અને સતર્કતાને આધારે કરશે.