ઉત્તર પ્રદેશ છેલ્લા એક મહિનાથી હાથરસની ઘટના બાદ કાયદો વ્યવસ્થાના મુદ્દાને લઈને કોંગ્રેસ સહીત વિપક્ષી પાર્ટીઓના નિશાને છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે તાબડતોડ જનસભાઓ કરીને આકરા પ્રહારો કર્યા હતા.
ગુંડાઓ જાનની ભીખ માંગી રહ્યા છે : CM યોગી
અપરાધીઓના ઘરો પર બુલડોઝર ચાલી રહ્યા છે : CM યોગી
ગુંડાઓની જગ્યા જેલમાં છે અથવા રામ નામ સત્ય થઇ રહ્યું છે : CM યોગી
દેશભરમાં વિવિધ રાજ્યોમાં અત્યારે વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. બિહારમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ અને બિહારમાં સભાઓ ગજવી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં યોગી આદિત્યનાથે વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર હુમલાઓ કર્યા. તેમણે કહ્યું કે દરેક ગુંડા અને માફિયાઓ ત્યાં જ જશે જ્યાં રામ નામ સત્ય સિવાય કોઈ નારો નથી થતો.
યોગી આદિત્યનાથે કહ્યું કે પ્રદેશમાં ગુંડાઓ જાનની ભીખ માંગી રહ્યા છે. અપરાધીઓના ઘરો પર બુલડોઝર ચાલી રહ્યા છે અને ગુંડાઓનો ખાલી એક અડ્રેસ છે જ્યાં રામ નામ સત્ય સિવાય કોઈ નારો હોતો નથી. તેમણે વધુમાં કહ્યું કે કૈરાના અને કાન્ધ્લામાં કોઈ બલિદાન નહીં થાય, માતા-બહેનોની આબરૂ સાથે કોઈ છેડછાડ સ્વીકાર્ય નહીં થાય.
સીએમ યોગીએ કહ્યું કે ભાજપના શાસનમાં પ્રદેશને ગુંડારાજથી મુક્તિ મળી છે. ગુંડાઓની જગ્યા જેલમાં છે અથવા રામ નામ સત્ય થઇ રહ્યું છે. અમારા શાસનમાં ગુંડાઓને રસ્તા પર ફરવાની આઝાદી નથી અને ભાજપ સરકારમાં અત્યાર સુધી રાજયમાં કોઈ રમખાણ થયા નથી.