કેન્દ્રની કેબિનેટની બેઠક બાદ અયોધ્યામાં સુન્ની વકફ બોર્ડમાં 5 એકર જમીન રૌનાહીમાં આપવાના પ્રસ્તાવ પર સહમતી દર્શાવવામાં આવી છે. આ જમીન લખનોઉ- અયોધ્યા હાઈ-વે પર અયોધ્યાથી લગભગ 22 કિમી પહેલા છે.
યુપી સરકારે અયોધ્યાથી 22 કિમી દુર રૌનાહીમાં મસ્જિદની જમીન આપી
રૌનાહીમાં આપવામાં આવેલી જમીન લખનોઉ- અયોધ્યા હાઈ વે પર અયોધ્યાથી લગભગ 22 કિમી પહેલા છે
મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં જમીન
કેન્દ્રમાં રામ મંદિર ટ્રસ્ટને મંજુરી આપ્યા બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકારે અયોધ્યાથી લગભગ 22 કિમી દુર રૌનાહીમાં સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન આપવાની જાહેરાત કરી છે. યોગીના કેબિનેટે બુધવારે આ નિર્ણય પર સહમતી દાખવી દીધી છે. રૌનાહી અયોધ્યાના મુખ્ય મંદિર વિસ્તારમાં નથી આવતો અને મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે.
સુન્ની વકફ બોર્ડે હજુ નક્કી નથી કર્યું કે તે આ જમીનનું શું કરશે
લોકસભાની કેબિનેટ બેઠક બાદ યોગીના વડપણ હેઠળ મંત્રી મંડળની બેઠક બાદ કેબિનેટ મંત્રી અને પ્રવક્તા શ્રીકાંત શર્માએ મીડિયાને જણવ્યું હતું કે અયોધ્યાનાં મુખ્યાલયથી 18 કિમી દુર સોહાવલ રૌનાહી સ્ટેશનથી 200 મીટર પાછળ 5 કરોડની જમીન સુન્ની વકફ બોર્ડને આપવા મંત્રી મંડળે મંજુરી આપી દીધી છે. આ જમીન લખનોઉ- અયોધ્યા હાઈવે પર અયોધ્યાથી લગભગ 22 કિમી પહેલા છે. હવે વકફ બોર્ડ પર છે કે તે આ જમીનનું શું કરે છે. સુન્ની વકફ બોર્ડે હજુ નક્કી નથી કર્યું કે તે આ જમીનનું શું કરશે.
67.07 એકર જમીન ટ્રસ્ટને ટ્રાંસફર થશે
પીએમે લેોકસભામાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ભારતની પ્રાણવાયુમાં , આદર્શોમાં, મર્યાદામાં ભગવાન શ્રીરામ અને અયોધ્યાની ઐતિહાસિક્તાથી આપણે પરિચિત છીએ. અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનાં નિર્માણ વર્તમાન અને ભવિષ્યમાં રામલલાના દર્શનને આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખી વધું એક નિર્ણય કર્યો છે. પીએમે જણાવ્યું છે કે કાયદા હેઠળ 67.07 એકર જમીન ટ્રસ્ટને ટ્રાન્સફર કરવામાં આવશે. જેમાં અંદર અને બહાર આંગણાનો પણ સમાવેશ થયો છે. તેમણે કહ્યું હતું કે રામલલ્લા વિરાજમાનની જમીન પણ ટ્રસ્ટને મળશે. આ ટ્રસ્ટ જ ભવ્ય અને દિવ્ય રામ મંદિર નિર્માણનો નિર્ણય કરશે.