યોગી સરકારના મંત્રીમંડળમાં સામેલ નવા સાત મંત્રીઓને મુખ્યમંત્રી યોગીએ ખાતાની ફાળવણી કરી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા યુપીના બ્રાહ્મણ સમાજના કદ્દાવર નેતા જિતિન પ્રસાદને શિક્ષણ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે.
રાજ્યમંત્રી પલટૂરામને સૈનિક કલ્યાણ અને હોમગાર્ડ મંત્રાલય, રાજ્યમંત્રી ડો.સંગીતા બલવંતને સહકારીતા મંત્રાલય, ધર્મવીર પ્રજાપતિને ઓદ્યોગિક વિકાસ મંત્રાલય, રાજ્યમંત્રી છત્રપાલ સિંહ ગંગવારને મહેસુલ વિભાગ, રાજ્યમંત્રી સંજીવ કુમારને સમાજ કલ્યાણ, તથા દિનેશ ખટીકને જળશક્તિ મંત્રાલયનો હવાલો સોંપાયો છે.
उत्तर प्रदेश मंत्रिमंडल में कल शामिल हुए सभी नए सदस्यों को आज विभागों का दायित्व प्राप्त हो गया है।
मुझे विश्वास है कि आप सभी के कुशल, अनुभवी एवं कर्मठ नेतृत्व में संबंधित विभाग विकास की नई ऊंचाइयों को स्पर्श करेंगे।
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને તમામ નવા મંત્રીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે મને વિશ્વાસ છે કે તમારા બધાના કુશળ, અનુભવી અને કર્મઠ નેતૃત્વમાં સંબંધિત વિભાગ નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે. તમારા બધાના ઉજ્જવળ કાર્યકાળ માટે અનંત શુભકામનાઓ.
2022 માં યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા આ અંતિમ વિસ્તરણ છે. કેબિનેટ વિસ્તરણમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદને ખાસ સ્થાન મળ્યું છે. જિતિન પ્રસાદ બ્રાહ્મણ સમાજના મોટના નેતા છે. આ પહેલા તેઓ બે વાર સાંસદ રહી ચૂક્યા છે. યુપીએ-1 અને 2 માં તેઓ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 2004 માં શાહજહાંપુર લોકસભા બેઠક પરથી પહેલી વાર સાંસદ બન્યા હતા. 2008 માં તેમણે કેન્દ્રીય સ્ટીલ રાજ્ય મંત્રી બનાવાયા હતા. 2009 માં નવા સીમાંકન બાદ ધોરહરા બેઠક પરથ લડ્યા અને બીજી વાર સાંસદ બન્યા હતા. 2014 અને 2019 ની લોકસભાની ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા.