ભાજપ નેતાના આ નિવેદન પર એક ટ્વિટર યુઝરે લખ્યું, 'સારવાર વગર અને ઓક્સિજન વગર લાખો લોકો મરી ગયા કરોડો પરિવાર બેરોજગાર થઈ ગયા પણ સારી વાત છે કે મોદીજી છે નહીં તો શું થાત? '
મોદીજી છે માટે દેશ બચી રહ્યા કોંગ્રેસ હોત તો શું થાત?
BJP નેતા સ્વતંત્ર દેવ સિંહનું નિવેદન
યુઝર્સે નિવેદનને લઈને કર્યા ટ્રોલ
ભારતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત છે. આ વચ્ચે વિપક્ષ કેન્દ્રની સરકાર પર પ્રહારની કોઈ તક નથી છોડતું. કોંગ્રેસે દેશમાં બીજી લહેર આવવા પર સરકારને જવાબદાર ગણાવી છે. જોકે ભાજપના નેતાઓ તેને લઈને કોંગ્રેસ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. એક દિવસ પહેલા જ યુપી ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે પત્રકારે સાથે વાતચીત વખતે કોંગ્રેસને જુઠાણું ફેલાવતા હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, 'આજે મોદીજી છે માટે દેશ બચી ગયો. નહીં તો ખબર નહીં શું થયું હોત.'
શું બોલ્યા ભાજપના નેતા સ્વતંત્ર દેવ સિંહ?
સ્વતંત્ર દેવ સિંહે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, 'બિમાર વ્યક્તિ સુધી કઈ રીતે લાભ પહોંચે, સરકાર તે માટે કામ કરી રહી છે. કોંગ્રેસને તમને જોઈ છે? નંબર-1ના જુઠા છે. આજે મોદીજી છે માટે દેશ બચી ગયો છે. જો કોંગ્રેસ હોત તો આ દેશની શું હાલત થાત. કંઈ કહી ન શકાય.'
આગળ તેમણે જણાવ્યું કે, 'આદરણીય મોદીજી અને આદરણીય યોગીજી દરેક પડકારને અવસરમાં બદલવાનો પ્રયત્ન કરે છે. તે સમાજનો સહયોગ લે છે. તે પડકાર સામે લડે છે અને તેને અવસરમાં બદલવાનો પ્રયત્ન કરે છે.' સિંહને જ્યારે સરકારના હાલના પડકાર વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, હાલ સંકટ એ છે કે કઈ રીતે ગામ, ગરીબ અને ખેડૂત બચે.
સોશિયલ મીડિયા યુઝર્સે કરી નાખ્યા ટ્રોલ
સ્વતંત્ર દેવ સિંહના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે તેમને ટ્રોલ કરી દીધા છે. ટ્વિટર યુઝર suvatenandutri 1એ કહ્યું, 'કોંગ્રેસનો આભાર માનો કે 70 વર્ષમાં તેમણે જે બીજ રોપ્યા હતા તેનો જ પાક તમે લણી રહ્યા છો. તમે આજ સુધી PHC હોસ્પિટલનું નવીનીકરણ પણ નથી કહ્યું જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજ તો દૂરની વાત મારા દેશનું બધુ ધન ખઈ ગયા છો અને મોંઘવારી વધારીને ગરીબ જનતાને મોતના મુખમાં ધકેલવાનું કામ કરવામાં આવી રહ્યું છે.'
બીજા એક યુઝરે કહ્યું, 2014 પહેલા દેશ ન હતો બચ્યો શું? ત્યાં જ હરિઓમ શર્માએ કહ્યું કે, 'ખોટી વાત છે. કોંગ્રેસ મહામારીનો સારી રીતે સામનો કરતી. તેમણે 70 વર્ષ દેશ ચલાવ્યો અને તેમને ખૂબ અનુભવ છે. ' બીજા એક ટ્વીટર યુઝરે લખ્યું, 'વગર સારવાર અને ઓક્સિજનથી લોખો લોકો મરી ગયા, કરોડો પરિવાર બેરોજગારીનો માર સહન કરી રહ્યા છે પણ સારી વાત એ છે કે મોદીજી છે નહીં તો શું થાત?'