ORF ટ્રેકરથી ખુલાસો થયો છે કે યુપી, બિહાર, પંજાબ, ઝારખંડ, તમિલનાડુ અને બંગાળમાં સૌથી પહેલા કોરોનાની ત્રીજી લહેર શરુ થશે.
ORF ટ્રેકરથી ખુલાસો થયો
યુપી, બિહાર, પંજાબમાં સૌથી પહેલા શરુ થશે ત્રીજી લહેર
આ રાજ્યોમાં સૌથી ઓછું થયું વેક્સિનેશન
ORF ટ્રેકરના આંકડામાં એવું જણાવાયું છે કે યુપી, બિહાર, પંજાબ, ઝારખંડ, તમિલનાડુ અને બંગાળમાં 60 વર્ષથી વધુ વયના લોકોને ઓછા પ્રમાણમાં વેક્સિન લાગી છે તેથી ત્યાંથી ત્રીજી લહેર શરુ થવાની શક્યતા છે.
1000 માં ફક્ત 947 લોકોને વેક્સિન મળી
60 વર્ષથી વધારે ઉંમરના લોકોના વેક્સિનેશનનો નેશનલ એવરેજ 947.13 છે એટલે આ બ્રેકેટમાં 1000 માં ફક્ત 947 લોકોને વેક્સિન મળી છે. જોકે તમિલનાડુ, યુપી અને બંગાળમાં આ આંકડો સરેરાશ 523.05 ડોઝ, 651.12 અને 853.48 છે. આ ત્રણ રાજ્યોમં આ વયજૂથમાં એક કરોડ કરતા પણ વધારે વૃદ્ધો છે.
સૌથી ઓછી વેક્સિનવાળા રાજ્યોમાં ત્રીજી લહેરનો ખતરો સૌથી વધારે
ઓઆરએફના વરિષ્ઠ ફેલો-હેલ્થ ઇનિશિયેટિવ ઓમ્માન સી કુરિયને જણાવ્યું હતું કે, 'કોરોનાની આગલી લહેર તે રાજ્યો સુધી મર્યાદિત થવા જઈ રહી છે જ્યાં ઓછી રસી છે અથવા જે અગાઉના મોજામાં કોરોનાથી ઓછી અસરગ્રસ્ત છે. જો વૃદ્ધોનું રસીકરણ ઓછું રહે છે, તો પ્રથમ અને બીજા તરંગની જેમ, મોટી દુર્ઘટના ફરી જોવા મળી શકે છે. કુરિયને કહ્યું કે તમિલનાડુ અને પંજાબ જેવા રાજ્યોમાં વૃદ્ધોની વસ્તીનું પ્રમાણ વધારે છે. જો કે, રસીકરણનું કવરેજ ઓછું છે.
ઓઆરએફના વિશ્લેષણ મુજબ, 27 ઓગસ્ટ સુધીમાં, 60 વર્ષથી વધુ ઉંમરના 61.6% વસ્તીને રસીની ઓછામાં ઓછી એક માત્રા મળી છે. તે જ સમયે, 31.4% વૃદ્ધ લોકો છે જેમણે રસીના બંને ડોઝ લીધા છે.