ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ કેસમાં વડોદરામાં તપાસનો ધમધમાટ ચાલું છે. ATSની ટીમ સલાઉદ્દીન શેખને લઈને વડોદરાના ફતેગંજના કૃષ્ણકુંજ વિસ્તારમાં તપાસ શરૂ કરી છે.
ઉત્તરપ્રદેશમાં ધર્માંતરણ કેસમાં તપાસ
વડોદરા પહોંચી ATSની ટીમ
સલાઉદ્દીનને લઈને શરૂ કરાઈ તપાસ
તો યુપીમાં ધર્માંતરણનું ષડયંત્રનો ખુલાસો થતા જ તપાસ તેજ કરી દેવાઇ છે. સમગ્ર મામલા વિશે વાત કરીએ તો યુપીમાં રૂપિયા સહિત અન્ય લાલચ આપીને ધર્માંતરણ કરાવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં ઉંમર ગૌતમ સહિત અનેક વ્યક્તિઓ વિરુદ્ધ ધર્માંતરણ મુદ્દે ફરિયાદ દાખલ કરાઇ છે. અને કાર્યવાહી ચાલું છે.
મુકબધીર અને મહિલાઓને કરાતી હતી ટાર્ગેટ
ત્યારે મુખ્યત્વે મુકબધીર અને મહિલાઓને વધુ ટાર્ગેટ બનાવતા. આરોપી ઉમર ગૌતમ પહેલા હિન્દૂ હતો પરંતુ વર્ષો પહેલા તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. ત્યારે આ ષડયંત્રમાં તપાસ કરતા ગુજરાત કનેક્શન સામે આવ્યું. જે બાદ ગુજરાત ATS અને UP ATSની મદદથી અમદાવાદમાં મોટી કાર્યવાહી કરવામાં આવી.
ગુજરાત ATSએ એક વ્યક્તિની કરી ધરપકડ
ગુજરાત ATS દ્વારા સલાઉદ્દીન શેખ નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી. આરોપી ઉપર ઉત્તરપ્રદેશમાં ચાલી રહેલા ધર્માંતરણ મામલે ફન્ડિંગ કરવાનો આરોપ લાગ્યો છે. ગુજરાત ATS પકડેલા સલાઉદ્દીન શેખ નામના વ્યક્તિની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે.
10 લાખનું ફન્ડિંગ કર્યાનું સામે આવ્યું
આ આરોપી દ્વારા UP માં દાખલ થયેલ ધર્માંતરણ કેસમાં 10 લાખનું ફન્ડિંગ કર્યાનું સામે આવ્યું છે. આરોપીએ ત્રણ વખત હવાલા મારફતે રૂપિયા ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં મોકલ્યાનું તપાસમાં સામે આવ્યું હતું. ત્યારે આ મામલે ફંડિંગ ઉપરાંત સલાઉદ્દીન અને ઉમર ગૌતમ સાથે અન્ય બીજા કનેક્શન છે. અને આ કેસમાં સલાઉદ્દીન સાથે અનેક લોકોનાં પણ નામ ખૂલી શકે છે.