યુપી એટીએસે જબદસ્તી ધર્મ પરિવર્તન કરાવતા રેકેટનો પડદાફાર્શ કરી બે લોકોની ધરપકડ કરી છે.
યુપી એટીએસે જબદસ્તી ધર્મ પરિવર્તન કરાવતા રેકેટનો કર્યો પડદાફાર્શ
યુપી એટીએસે બે લોકોની ધરપકડ કરી
આ મામલામાં એડીજી લો એન્ડ એર્ડર પ્રશાંત કુમારે જાણકારી આપી
યુપીના નોઈડામાં ATS દ્વારા એક ધર્માંતર રેકેટ ઝડપાયુ છે. આ કેસમાં યુપી ATSએ બે મોલાનાની ધરપકડ કરી છે. છેલ્લા બે વર્ષથી ધર્માંતર રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. તેમાં બહેરા, મૂંગા બાળકો અને મહિલાઓને ટાર્ગેટ બનાવી તેમનું ધર્માંતર કરવામાં આવતું હતું. આ કેસમાં પોલીસને બંને મોલાનાને વિદેશથી પણ ફંટ મળતા હોવાના પુરાવા પણ મળી આવ્યા છે. માહિતી મુજબ આ લોકો 'મોટિવેશનલ થ્રોટ' દ્વારા ધર્માંતર કરતા હતા. હજુ સુધી આ કેસમાં માત્ર બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ 100થી વધુ લોકોની સંડોવણી હોવાની આશંકા છે.
UP ATS arrested two persons for their involvement in religious conversion on pretext of money, job & marriage of people from weaker economic sections & students. Probe revealed accused were funded by some international organisations including ISI: Prashant Kumar, ADG Law & Order pic.twitter.com/pLhzMTEkK8
એક હજારથી વધુ લોકોનું ધર્માંતર કરવામાં આવ્યું
યુપીના ADC પ્રશાંત કુમારના જણવ્યા મુજબ, છેલ્લા 1 વર્ષથી બંને મોલાનાઓ દ્વારા 350 લોકોનું ધર્માંતર કરવામાં આવ્યું છે. નોઈડામાં એક બહેરા અને મૂંગી શાળાના 18 બાળકોનું પણ ધર્માંતર કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોનું ધર્માંતર કરવામાં આવ્યું છે. આ સમગ્ર કૌભાંડ છેલ્લા બે વર્ષથી ચાલતું હતું. તેમના જણાવ્યા મુજબ બંને મોલાનાઓ દ્વારા લોકોને ડરાવવી અને લોભામણી લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવા માટે ઉશ્કેરવામાં આવતા હતા.
દિલ્હીના જામિયાનગરના રહેવાસી છે આ મોલાનાઓ
ઝડપાયેલા બંને આરોપીના નામ મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાજી જહાંગીર કાસમી છે. જે દિલ્હીના જામિયાનગર વિસ્તારના રેહવાસી છે. તેમના પર માત્ર યુપીમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં અનેક લોકોનું ધર્માંતર કરવાનો આરોપ છે. આ કેસમાં ATSએ યુપીના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં F.I.R નોંધાવી છે. તેમાં જમિયાનગર સ્થિત ઇસ્લામિક દાવા સેન્ટર (IDC)ના ચેરમેનનું નામ પણ નોંધવામાં આવ્યું છે.
ગરીબ હિન્દુઓને બનાવતા હતા નિશાન
ATSના અધિકારીઓએ જણાવ્યું કે આ લોકો ગરીબ હિન્દુઓને નિશાન બનાવે છે અને અત્યાર સુધી હજારથી વધારે હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. આ બન્ને મોલાના મોટાભાગે મુક બધિર અને મહિલાઓનું ધર્મ પરિવર્તન કરાવતા હતા. આટલું જ નહીં, તપાસમાં પણ સામે આવ્યું છે કે નોએડામાં ચાલી રહેલા મુક બધિર સ્કૂલના ડોઢ ડઝન બાળકોનું પણ ધર્મ પરિવર્તન કરવામાં આવી ચુક્યું છે. આ બન્નેનું નામ રામપુરથી જોડાયેલા ધર્માતરના મામલા પણ સામે આવ્યા છે.