ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2022નું મતદાન સમાપ્ત થઈ ચુક્યું છે. 10 તારીખે મતગણતરી થવાની છે. પણ મતગણતરી પહેલા ઈવીએમ તથા ચૂંટણીમાં ગોરખધંધાને લઈને વિવાદ છંછેડાઈ ગયો છે.
ઉત્તર પ્રદેશમાં 110 માર્ચે મતગણતરી
મતગણતરી પહેલા ઈવીએમની હેરફેર
ઈવીએમ ભરેલી ટ્રક ઝડપાઈ
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2022નું મતદાન સમાપ્ત થઈ ચુક્યું છે. 10 તારીખે મતગણતરી થવાની છે. પણ મતગણતરી પહેલા ઈવીએમ તથા ચૂંટણીમાં ગોરખધંધાને લઈને વિવાદ છંછેડાઈ ગયો છે. સમાજવાદી પાર્ટી સતત ભાજપ પર ચૂંટણીમાં ધાંધલી કરવાનો આરોપ લગાવી રહી છે. ચૂંટણીમાં ધાંધલીના આરોપ સાથે સમાજવાદી પાર્ટીના ટોચના નેતાઓએ ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી ચુક્યા છે.
वाराणसी में EVM पकड़े जाने का समाचार उप्र की हर विधानसभा को चौकन्ना रहने का संदेश दे रहा है।
मतगणना में धांधली की कोशिश को नाकाम करने के लिए सपा-गठबंधन के सभी प्रत्याशी और समर्थक अपने-अपने कैमरों के साथ तैयार रहें।
युवा लोकतंत्र व भविष्य की रक्षा के लिए मतगणना में सिपाही बने!
આ તમામની વચ્ચે વારાણસીમાં ઈવીએમથી ભરેલો એક ટ્રક મળ્યા બાદ વિવાદ ખૂબ વધી ગયો છે. ઈવીએમથી ભરેલો ટ્રક મળ્યા બાદ સપા કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને પોલીસ પ્રશાસન પર ચૂંટણીમાં ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રકમાં ઈવીએમ મળ્યા બાદ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચી ગયો હતો. અખિલેશ યાદવે વારાણસીના ડીએમ પર ગંભીર આરોપ લગાવ્યો છે. અખિલેશ યાદવે કહ્યું છે કે, વારાણસીના ડીએમ સ્થાનિક ઉમેદવારોની જાણકારી વગર ઈવીએમ શા માટે લઈ જઈ રહ્યા છે. આ ઘટનાને ચૂંટણી પંચે ગંભીરતાથી લેવી જોઈએ.
चोर चोरी से जाए, हेरा-फेरी से न जाए।
योगी सरकार अभी भी ई.वी.एम. मशीन की हेरा-फेरी कर जनादेश पर डकैती डालना चाहती है। अब समझ में आया कि सूपड़ा साफ होने के बाद भी भाजपा, सरकार बनाने का दम्भ क्यों भर रही है।
ईवीएम मशीन से भरी डीसीएम का वीडियो शिवपुर विधानसभा, वाराणसी।@ECISVEEPpic.twitter.com/FBWgaSysUy
અખિલેશ યાદવે ડીએમ પર આરોપ લગાવતા કહ્યું કે, વારાણસીના ડીએમ ધાંધલી કરી રહ્યા છે. મને પાક્કી ખાતરી છે કે, ડીએમ કોના માટે કામ કરી રહ્યા છે. આ દરમિયાન અખિલશે યાદવે વારાણસીના ડીએમ વિરુદ્ધ ચૂંટણી પંચને કાર્યવાહી કરવાની માગ કરી છે. મીડિયા સાથે વાતચીત કરતા અખિલેશ યાદવે કહ્યું કે, મને ચૂંટણી પંચ પાસેથી પણ કોઈ આશા નથી. હવે લોકોએ ખુદ આગળ આવવું પડશે. લોકતંત્રને બચાવવા માટે લડવુ પડશે. અખિલેશ યાદવે પહેલા જ કાઉન્ટીંગ સેન્ટર પર જામર લગાવાની વાત કરી ચુક્યા છે, જેનાથી કોઈ પણ પ્રકારની ધાંધલી ન થાય.
मुरादाबाद की बिलारी विधानसभा से सपा प्रत्याशी ने हजारों की संख्या में खाली मतपत्र पकड़े हैं।
इन मतपत्रों को बिलारी तहसीलदार मतगणना केंद्र पर क्यों एवं किसके कहने पर लेकर गए थे? क्या उद्देश्य था?
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે એક્ઝિટ પોલને લઈને સવાલો કર્યા હતા. અખિલેશ યાદવનું કહેવુ છે કે, સમાજવાદી પાર્ટીની જનતામાં લહેર છે. તેમ છતાં પણ એક્ઝિટ પોલ ભાજપના પક્ષમાં બતાવી રહ્યા છે. ત્યારે આવા સમયે ભાજપ માહોલ બનાવી રહી છે, જેનાથી તે ચૂંટણીમાં ધાંધલી કરી શકે અને કોઈ તેમના પર સવાલો કરી શકે નહીં.
ડીએમે આપી સ્પષ્ટતા
ટ્રકમાં ઈવીએમ મળવાનું શરૂ થયા બાદ વિવાદ વધ્યો, જેના કારણે વારાણસીના ડીએમ કૌશલ રાજ શર્માએ સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે, ટ્રકમાં મળેલા ઈવીએમનું ચૂંટણીના ઈવીએમ સાથે કોઈ લેવાદેવા નથી. આવી સ્થિતિ ન થાય તેના માટે ઉમેદવારો સાથે બેઠક પણ કરી છે. કૌશલ રાજ શર્માએ જણાવ્યું છે કે, મતદાનમાં ઉપયોગમાં લેવાયેલા ઈવીએમની યાદી ઉમેદવારોના મેલ પર આપવામાં આવી છે. જેની હાર્ડ કોપી પણ આપવામાં આવી છે. ટ્રકમાં જે ઈવીએમ છે, તેને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.