દેશભરમાં વિશ્વવિદ્યાલયો સહિત અનેક જગ્યાએ નાગરિકતા સંશોધન કાયદો, એનઆરસી અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરનો વિરોધ થઈ રહ્યો છે. પરંતું ઉત્તરપ્રદેશનાં વિશ્વવિદ્યાલયમાં હવે એનઆરસી, CAAની સાથે સાથે આર્ટિકલ 370 અને 35એ ભણાવવામાં આવશે. વિદ્યાર્થીઓને ભણાવવા પાછળ યૂનિવર્સિટીનો શું હેતું છે...
રાજર્ષિ ટંડન યૂનિવર્સિટીનાં કોર્સમાં કલમ 370
35એ અને એનઆરસી અંગે જાગૃતતા લાવવા માટે તેનો સમાવેશ કોર્ષમાં છે
પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ ગઈ છે તેની ફી આટલી લેવાશે
આ યુનિ. ભણાવશે આ કોર્ષ
ઉત્તર પ્રદેશની રાજર્ષિ ટંડન ઓપન યુનિવર્સિટીએ અનુચ્છેદ 370, 35એ અને CAAનાં સર્ટિફિકેટ કોર્સ શરુ કર્યો છે. 3 મહિનાનાં આ સર્ટિફિકેટ કોર્ષમાં ધો, 12 પાસ કોઈ પણ વ્યક્તિ એડમિશન લઈ શકે છે. આ કોર્ષમાં પ્રવેશ મેળવનારાને 500 રુ. પ્રવેશ ફી ભરવાની રહેશ.
કોર્ષની પ્રવેશ પ્રક્રિયા શરુ
તેમજ જાન્યુઆરીથી આ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા શરું થઈ ગઈ છે. તેમજ ઓનલાઈન પણ તેમાં પ્રવેશ મેળવી શકાશે. ઉલ્લેખનીય છે કે અનુચ્છેદ 370, 35એ અને CAAને લઈને દેશ ભરમાં વિરોધનાં સૂર ઉઠી રહ્યાં છે. CAA અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનાં હિંદુ, શીખ, જૈન, બુદ્ધ, પારસી અને ઈસાઈ કે જે ધાર્મિક હેરાનગતીના કારણે 31-12-14થી ભારતમાં આશ્રય લઈ રહ્યા છે તેમનો સમાવેશ કરવામાં આવશે. મુસ્લિમ અને અન્ય વિદેશીની તેમા ગણના કરવામાં આવશે નહીં.