ઉત્તર પ્રદેશના આગ્રામાં એક યુવતીના શંકાસ્પદ મોત બાદ ભારે હોબાળો મચી ગયો છે.આ મામલો આગરાના શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ચિલ્લી પાડાનો છે.
આગ્રાના ચિલ્લી પાડા વિસ્તારમાં હંગામો
યુવતીના મોત બાદ બે જૂથો વચ્ચે અથડામણ
પથ્થરમારો અને ગોળીબારના કારણે ગભરાટ ફેલાઈ ગયો હતો
UP के आगरा में वर्षा ने अरमान से निकाह किया था। आज वर्षा की बॉडी घर में लटकी मिली। खबर पाकर पहुंचे परिजन और BJP के लोगों पर पथराव। बवाल की आशंका पर बाजार बंद, पुलिस बल तैनात, माहौल काबू। #Agrapic.twitter.com/AC6RYxw6UM
આગ્રામાં એક યુવતીના શંકાસ્પદ મોત બાદ ભારે હોબાળો મચ્યો.
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક યુવતીના શંકાસ્પદ મોત બાદ ભારે હોબાળો મચી ગયો છે. આ મામલો આગરાના શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ચિલ્લી પાડાનો છે. અહીં એક યુવતીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે યુવતીએ એક વર્ષ પહેલા લઘુમતી સમુદાયના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.બાળકીના મોતના સમાચાર મળતા જ પરિવારજનો અને ભાજપના આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ પછી બંને સમુદાયો વચ્ચે વિવાદ થયો હતો.આ વિસ્તારમાં પથ્થરમારો અને ગોળીબાર પણ થયો હતો.ઉલ્લેખનીય છે કે, વર્ષાનો મૃતદેહ શુક્રવારે ફાંસી પર લટકતો મળી આવ્યો હતો. બીજી તરફ અરમાન સ્થળ પરથી ભાગી ગયો હતો
પોલીસ પર પથ્થરમારો અને ફાયરિંગ
બીજી બાજુ સમાચાર મળતા જ, છોકરીના પરિવારના સભ્યો અને ભાજપના નેતાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આ પછી બંને સમુદાય વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસ પર પથ્થરમારો અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. પથ્થરમારો અને ફાયરિંગની ઘટના બાદ ભાજપના ધારાસભ્ય રામ પ્રતાપ સિંહ ચૌહાણ અને યોગેન્દ્ર ઉપાધ્યાય પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.ધારાસભ્યોની હાજરીમાં ભાજપના કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજેપી ધારાસભ્યએ અરમાન અને તેના પરિવારના સભ્યો સામે હત્યાનો કેસ નોંધીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી
પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આગ્રાના એસએસપી સુધીર કુમારે જણાવ્યું કે, યુવતીએ અન્ય સમુદાયના યુવક સાથે લગ્ન કર્યા હતાં. યુવતીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે, જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.કોઈને પણ બક્ષવામાં આવશે નહી ધારાસભ્ય રામ પ્રતાપ સિંહ ચૌહાણનું કહેવું છે કે, જે લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. અને ફાયરિગ કર્યુ છે. તેમની સામે કેસ નોંધવો જોઈએ. બીજેપી ધારાસભ્યએ કહ્યું કે,આ વખતે બદમાશો સામે એવી કડક કાર્યવાહી કરવામાં આવશે કે ઉદાહરણ રૂપ બનશે.