અનેક લોકો પાસે 2થી 3 બેંક એકાઉન્ટ હોય છે. એક એકાઉન્ટ જેનાથી તેઓ તેમની લોન મેનેજ કરતા હોય, એક એકાઉન્ટ જે સેવિંગ્સ માટે રાખ્યું હોય અને એક સેલેરી એકાઉન્ટ જે કંપની તરફથી કોઈ પણ શરતો વિના ખોલી આપવામાં આવ્યું હોય. ઘણીવાર નોકરી બદલાઈ જાય ત્યારે તમે એકાઉન્ટ કામમાં ન આવવા છતાં તેને બંધ કરાવતા નથી. તમે એકાઉન્ટ ચાલુ રાખો છો તો તમારે બેંક સંબંધિત અનેક ચાર્જ ચૂકવવા પડે છે. જેને તમે કદાચ જાણતા નથી. આજે જાણી લો આ તમામ વાતો અને કામ વિનાના એકાઉન્ટને ત્વરિત રીતે બંધ કરાવો.
બંધ કરાવો કામ વિનાના એકાઉન્ટ
બેંક દરેક એકાઉન્ટ માટે વસૂલે છે આ ચાર્જ
તમારા રૂપિયા થઈ શકે છે બરબાદ
મિનિમમ બેલેન્સ રાખવું પડે છે
બેંક ખાતામાં દર મહિને તમારે એવરેજ બેલેન્સ રાખવું પડે છે, જે 500 રૂપિયાથી લઈને 10 હજાર રૂપિયા સુધી હોય છે. મંથલી એવરેજ બેલેન્સ ન રાખવા પર બેંક તેની પોલિસીના હિસાબથી તમારા ખાતામાંથી પૈસા કટ કરી શકે છે. આ માટે બેંક 150 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે.
નોકરી છોડ્યા પછી અકાઉન્ટ બંધ કરાવવું
ઝીરો બેલેન્સવાળાં સેલેરી એકાઉન્ટમાં પણ સતત 3 મહિના સુધી સેલેરી જમા ન થાય, તો તે સેવિંગ એકાઉન્ટમાં ફેરવાઈ જાય છે. જેમાં તમારે સામાન્ય સેવિંગ એકાઉન્ટની જેમ જ એવરેજ બેલેન્સ રાખવું જરૂરી છે.
ડેબિટ કાર્ડ માટે ચાર્જ આપવો પડે છે
બેંકમાં ખાતું ખોલવા પર કોઈ અલગથી ચાર્જ નથી લાગતો, પરંતુ ઘણી બેંકો તેમના ડેબિટ કાર્ડ પર ફી લે છે. આ ફી વાર્ષિક 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી હોય છે, જે તમારા એકાઉન્ટમાંથી આપમેળે કપાઈ જાય છે. જો તમે તમારા એકાઉન્ટનો ઉપયોગ નથી કરી રહ્યા તો પણ તમારે ડેબિટ કાર્ડની ફી ભરવી પડશે.
SMS મોકલવાનો પણ ચાર્જ લે છે
બેંક ફોન પર SMS મોકલવાનો ચાર્જ પણ વસૂલે છે. જે 30 રૂપિયા પ્રતિ ક્વાર્ટર હોઈ શકે છે. તે ઉપરાંત ફોન કરીને બેલેન્સ જાણવા માટે પણ બેંક ચાર્જ વસૂલે છે.
સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર લાગતો ચાર્જ
SBIમાં ગ્રામીણ, અર્ધ-શહેરી, શહેરી અને મેટ્રો શહેરોની વિવિધ જગ્યાઓના હિસાબથી સેવિંગ્સ એકાઉન્ટ માટે નક્કી મિનિમમ મંથલી એવરેજ બેલેન્સ ન રાખવા પર 5 રૂપિયા પ્લસ GSTથી લઈને 15 રૂપિયા પ્લસ GST સુધી ચાર્જ લાગે છે.
પંજાબ નેશનલ બેંકમાં ગ્રામીણ, અર્ધ-શહેરી, શહેરી અને મેટ્રો શહેરનાં જુદાં જુદાં સ્થળોએ સેવિંગ્સ અકાઉન્ટમાં નક્કી મિનિમમ બેલેન્ટ મેઈન્ટેન ન રાખવા પર ક્વાર્ટર દીઠ રૂ. 50 પ્લસ GSTથી લઈને રૂ. 250 પ્લસ GST સુધી ચાર્જ લાગે છે.