જામનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેતીવાડીમાં ભારે નુકસાન થયું છે. જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખરીફ પાકને અસર થઇ છે...ભારે પવન સાથે વરસાદ આવતા કપાસનો પાક ઢળી પડ્યો હતો..જ્યારે મગફળી પણ પલળી જતા પાક નિષ્ફળ ગયો છે...તો પાકી ગયેલી મગફળી જમીન અંદર ઉગી જવા અને ફુગ લાગી જવાની સંભાવના ઉભી થઇ છે..
ગઇકાલે આવેલા વરસાદના કારણે અનેક ગ્રામ્ય પંથકમાં પાક ઢળી પડવાની ફરિયાદો ઉઠી છે. પોતાના મોઢા સુધી ખરીફ પાકનો આવેલો કોળીયો છીનવાઈ જતા ખેડૂતોમાં નિરાષા જોવા મળી હતી. હવે ખેડૂતોએ વીમા કંપની અને સરકાર તરફ સહાયની મીટ માંડી છે. જોકે હજુ સુધી કોઇ સર્વે કરવા ન આવ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે...