ગુજરાતમાં કમોસમી વરસાદના ઝાપટાના કારણે કેરીના પાકને મોટા નુકસાનની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે, જૂનાગઢ,ગીર અને અમરેલી જિલ્લાના કેટલાક પંથકમાં કમોસમી છાંટા
ગુજરાતના હવામાનમાં પલટાની સાથે કમોસમી વરસાદ
જૂનાગઢ, અમરેલી, કચ્છના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ
ગુજરાતમાં એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ ગરમીનો પણ પારો વધ્યો છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદે ખેતીને નુકસાન પહોંચાડ્યું છે. હાલ માર્કેટમાં કેરનું આગમન થઈ રહ્યું છે. તો બીજી તરફ ગીર અને અમરેલી પંથકમાં વરસાદના કારણે નુકસાની ભીતી જોવા મળી રહી છે. અમરેલીના ખાંભા તાલુકામાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા. ખાંભા, નાનુડી, પીપળવા સહિતના ગામોમાં વરસાદી ઝાપટાથી કેરીના પાકને નુકસાનની ભીતી છે.
તો આ તરફ અમરેલી બાદ જૂનાગઢ જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. ઉનાળામાં કમોસમી વરસાદથી ચિંતા વધી છે. કેરીના પાકમાં નુકસાનની ભીતિ અહીંયા પણ જોવા મળી રહી છે. અને કમોસમી વરસાદને લઇને ખેડૂતોની ચિંતા વધી છે. સાથે ગીર-સોમનાથ જિલ્લામાં કમોસમી જોવા મળ્યો હતો. કેરીની સિઝનમાં વરસાદથી ગીર-સોમનાથના ખેડૂતોમાં ચિંતા છે. સાસણ ગીરમાં તો કરા સાથે વરસાદ પડ્યો હતો.
આ તરફ કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે ભુજ, મુન્દ્રા તથા અંજારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનક પડેલા ભારે પવન સાથેના વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું.
જો કે, હાલ કમોસમી વરસાદ પાક માટે નુકસાની ઉભી કરી રહ્યું છે. પરંતુ દેશના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. અને વર્ષે દેશમાં 98% વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગ દર્શાવી રહ્યું છે. ઓડિશા, ઝારખંડ, UP, અસમમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના છે. આ વખતે અલનીનોની સંભાવના ઓછી હોવાનું હવામાન વિભાગનું તારણ છે.