ગુજરાતમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર માટે સારા નથી. કારણ કે ત્યાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદ ખેડૂતોનો કેડો નથી મૂકતો. આ વરસાદ તેમનો આખું વરસ બગાડશે.
3 દિવસ વાતાવરણ બદલાશે
સામાન્ય વરસાદની આગાહી
સાયકલોનીક સર્કયુલેશનની અસર
ખેડૂતો માટે હવામાન વિભાગ દ્વારા ચિંતાના સમાચાર મળ્યા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આવતીકાલથી 3 દિવસ સુધી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો રહેશે.
વાતાવરણમાં સાયકલોનીક સર્કયુલેશનની અસર રહેશે. જેને લઈને રાજકોટ,અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે
ખેડૂતો માટે ચિંતાનો વરસાદ
આ વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વરસાદ છે. લોકડાઉને કમર ભાંગી નાંખી છે ત્યારે હવે આ વરસાદ પડતા ઉપર પાટુ મારીને આખુ વરસ બગાડશે એવી ભીતિ સેવાઈ રહી છે.
માર્કેટયાર્ડમાં પડેલો પાક પણ પલળી જશે
માર્કેટયાર્ડમાં પડેલો માલ પણ પલળી જશે. હાલ રાયડો, ચણા, ઘઉંની સિઝન છે એવામાં આ વરસાદ લોકોને હડીએ ચઢાવશે.
કેરીની મજા બગડશે
હાલ કેરીની સિઝન જામી છે ત્યારે આ વરસાદ કેરીમાં સડો લાવશે. લોકડાઉનને કારણે તૈયાર પાક બજારમાં પહોંચ્યો જ નથી એવામાં જો વરસાદ આવશે તો ખેડૂતોએ રાતા પાણીએ રોવું પડશે. ચણા, એરંડા સહિતના પાક હાલ માર્કેટમાં પડ્યા છે.