સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સુરતમાં 514 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યુ હતુ જ્યારે રાજ્યમાં 3 દિવસથી કમોસમી વરસાદને પગલે માવઠાથી નુકસાન મુદ્દે સર્વે કરવાની જાહેરાત કરી હતી. સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના સુરત, નવસારી, તાપીમાં કમોસમી વરસાદને પગલે શિયાળુ પાકને નુકસના થઈ રહ્યુ છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 142 તાલુકામાં વરસાદ
માવઠાથી થયેલ નુકસનાની મુદ્દે સર્વે થશે
રાજ્યમાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 142 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યાર બાદ ખેરગામ, ઉમરગામ, વાપી, ચીખલી, સુરત શહેર, વઘાઈ, જાફરબાદ, કામરેજ સહિતના તાલુકાઓમાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ થયો હતો. આ માવઠાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સરવે કરવામાં આવશે એવી જાહેરાત કરી છે.
શિયાળુ પાકને અસર થશે એટલું જ નહીં ઘઉંને પણ અસર થશે
અમરેલીમાં જાફરાબાદમાં દોઢ અને રાજુલામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા, ખાંભા પણ ભીંજાયા હતા. આ વરસાદથી આ વિસ્તારના ચણા, જીરું, ડુંગળી, કપાસ, શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. પંચમહાલમાં ગોધરા, હાલોલ, કાલોલમાં વરસાદ પડ્યો હતો. મહીસાગર જિલ્લામાં પણ વરસાદને કારણે રવીપાકને ભારે નુકસાન થયું છે. આંબાના મોર અને ધાણા, જીરૂ જેવા શિયાળુ પાકને અસર થશે એટલું જ નહીં ઘઉંને પણ અસર થશે.
શહેરમાં 514 કરોડના કામોનું ખાતમુહત અને લોકાર્પણ
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતમા 500 કરોડથી વધુના કામોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કર્યુ હતુ. CM રૂપાણીના હસ્તે ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. મનપા-સુડાના કામોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કર્યુ હતુ. સુરત મનપાના કાર્યકાળ પૂર્ણ થવાના 1 દિવસ પહેલા આ કાર્યક્રમ યોજાતા ચર્ચાઓ જાગી હતી. અડાજણના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા હતુ જ્યાં સીએમ રૂપાણીએ મનપાના 431.32 કરોડના કામોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કર્યુ અને સુડાના 82.83 કરોડના વિકાસકાર્યોનું પણ ખાતમૂહુર્ત-લોકાર્પણ કર્યુ હતુ.