ભરૂચ, ગીર સોમનાથ અને વલસાડમાં કમોસમી વરસાદ; દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ અરવલ્લી અને મહીસાગરમાં 2 દિવસ માટે વરસાદની આગાહી
ભરૂચ, ગીર સોમનાથમાં કમોસમી વરસાદ
વલસાડમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ
રાજ્યમાં કમોસમી વરસાદની 2 દિવાસ આગાહી
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભર શિયાળામાં ચોંમસાનો માહોલ સર્જાયો છે. શિયાળામાં વરસાદી માહોલ થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જિલ્લાના ખેડૂતો છેલ્લા બે દિવસ વાતાવરણમાં આવેલા પલટાને કારણે ચિંતામાં છે. જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભરૂચ, વલસાડ તેમજ ગીર સોમનાથ તેમજ અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. સતત વાદળછાયા વાતાવરણને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
ભરૂચમાં કમોસમી વરસાદ
ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. હાંસોટ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો પર ચિંતાના વાદાળો ઘેરાયા છે. ઇલાવ, સાહોલ સહિતના ગામોમાં વરસાદી માવઠું થયું છે. વરસાદને કારણે ખેતરોમાં પાકને નુકસાનની ભિતી સેવાઈ રહી છે.
સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ
વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ થયો છે. કપરાડા તાલુકાના આંતરીયાળ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ચોમાસાની માફક ધોધમાર કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
ગીર સોમનાથમાં માવઠું
ગીર સોમનાથમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. તાલાળાના ધાવા, શિર્વાણ, માધુપુર સહિતના ગામોમા માવઠું થયું છે. 2 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. ગીરના ખેડૂતોમાં ઘઉંના પાકમાં નુકસાનની આશંકા સેવાઈ રહી છે
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થઇ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે તેમજ સુરત, વલસાડ, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. અરવલ્લી અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી અને રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 2 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ બાદ વાતાવરણ સૂકું રહેશે.
કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન
ખૂડોતના ખેતરમાં શાકભાજી અને કઠોળના પાકોનું વાવેતર થયેલું છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતાની સાથે પાકોમાં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોમસી વરસાદના કારણે કેરી પકવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. વરસાદને લઈ અનેક પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. માવઠાના કારણે આંબા પરના ફ્લાવરિંગને નુકસાન થવાની ભીતિ મોટા પાયે સેવાઈ રહી છે.