કમોસમી વરસાદને કારણે રાજ્યમાં હવે રોગચાળાનો એટેક થયો છે. રાજ્યભરમાં ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે એમાંય મચ્છરજન્ય રોગચાળાએ તો માઝા મુકી છે.
અમદાવાદમાં ડેંગી બેકાબૂ બન્યો
મહેસાણામાં ડેંગીનો કહેર
સુરત શહેરમાં ડેંગીનો કહેર યથાવત્
અમદાવાદમાં રોગચાળો વકરતા મનપા કામે લાગ્યુ છે. શહેરમાં બાંધકામની 22 સાઈટો સીલ કરાઈ છે. મચ્છરના બ્રિડિંગ મળી આવતા સાઈટો સીલ કરવામાં આવી છે. લોક જાગૃતિ માટે મનપા પત્રીકાઓનુ વિતરણ કરી રહ્યુ છે.
રાજકોટમાં રોગચાલો વકર્યો
કમોસમી વરસાદ બાદ રાજકોટમાં રોગચાળો વકરી રહ્યો છે.. એક સપ્તાહમાં તાવ, શરદી અને ઉધરસના 321 કેસ નોંધાયા છે.. છેલ્લા સાત દિવસમાં ઝાડા ઉલટીના 328 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 99 કેસ, તાવમા 42 અને મલેરિયાના 2 કેસ નોંધાયા છે.
મહેસાણામાં ડેન્ગ્યુનો કહેર
મહેસાણામાં છેલ્લા 3 દિવસમાં 80 નવા કેસ નોંધાયા છે. વિસનગર અને ઊંઝામાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ સામે આવ્યા છે. જિલ્લામાં છેલ્લા 10 મહીનામાં ડેન્ગ્યુના 1754 કેસ નોંધાયા
હાલ 200 દર્દીઓ સારવાર હેઠળ છે.
કમોસમી ઋતુ બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો
એક સપ્તાહમાં તાવ, શરદી અને ઉધરસના 321 કેસ નોંધાયા છે. છેલ્લા 7 દિવસમાં ઝાડા-ઉલટીના 328 કેસ સામે આવ્યા છે જ્યારે ડેંગ્યુના 99 કેસ, તાવના 42, મેલેરીયાના 2 કેસ નોંધાયા હતા.
બનાસકાંઠામાં રોગચાળાએ માજા મૂકી
કમોસમી ઋતુ બાદ રોગચાળો વકર્યો છે. બનાસકાંઠામાં ધાનેરામાં ડિપ્થેરિયા કાબૂમાં નથી આવતો અને અમીરગઢમાં વધુ બે ડેંગીના કેસ નોંધાયા છે. ડેંગીને કારણે પણ લોકોમાં ફફડાટ છે.
સુરત શહેરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત્
વાતાવરણમાં આવેલા ફેરફારથી ડેંગીના કેસ વધ્યા છે. છેલ્લા 9 દિવસમાં નવા 37 કેસો આવ્યા સામે આવ્યા છે. ડેંગીને નાથવા માટે કમિશ્નર ખુદ મેદાને આવ્યા છે. તેમ છતા રોગચાળો કાબુ બહાર છે અને મનપા તેને નાથવામાં નિષ્ફળ સાબિત થયુ છે.