રશિયા તરફથી યુક્રેનમાં સતત હુમલાઓ વચ્ચે ભારતીય સમયાનુસાર રવિવારે મોડી રાત્રે 1:30 વાગ્યે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં વોટિંગના આધારે એવો નિર્ણય લેવામાં આવ્યો કે, યુક્રેન સંકટ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની ઈમરજન્સી બેઠક બોલાવવી કે કેમ.
યુક્રેનમાં થઇ રહેલા હુમલાઓ વચ્ચે બોલાવાઇ UNSCની બેઠક
ભારત UNSCમાં પ્રક્રિયાગત મતદાનથી દૂર રહ્યું
ભારત, ચીન, UAE સહિત ત્રણ દેશોએ મતદાન કરવાનું ટાળ્યું
UNSCમાં ભારત પ્રક્રિયાગત મતદાનથી દૂર રહ્યું. પરંતુ 15માંથી 11 સભ્યોએ યુએન જનરલ એસેમ્બલીમાં યુક્રેન યુદ્ધ પર ઈમરજન્સી બેઠક બોલાવવાની તરફેણમાં મતદાન કર્યું હતું. 11 સભ્યોએ તરફેણમાં મત આપ્યા બાદ સોમવારે યુએનજીએમાં આપાતકાલીન સત્ર બોલાવવાનો માર્ગ મોકળો થયો.
ભારત, ચીન, UAE સહિત ત્રણ દેશોએ મતદાન કરવાનું ટાળ્યું
ઉલ્લેખનીય છે કે, યુએનએસસીના વિશેષ સત્રમાં પાંચ સ્થાયી સભ્યો સાથે 10 અસ્થાયી સભ્ય પણ સામેલ થયા. જેમાં ભારત, ચીન, UAE સહિત ત્રણ દેશોએ મતદાન કરવાનું ટાળ્યું. રશિયાએ તેની વિરૂદ્ધ મતદાન કર્યું. ભારતના પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિએ જણાવ્યું કે, 'પરિસ્થિતિઓની સમગ્રતાને ધ્યાનમાં રાખતા અમે વોટિંગ નહીં કરવાનો નિર્ણય લીધો છે.' તેઓએ રેખાંકિત કર્યું કે, "કૂટનીતિ અને સંવાદના રસ્તા પર પરત ફર્યા સિવાય હવે અન્ય કોઇ વિકલ્પ નથી.''
ભારતના પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ યુએનએસસીમાં બેઠકમાં જણાવ્યું હતું કે, ''અમારા વડાપ્રધાને રશિયા, યુક્રેનના નેતૃત્વ સાથેની પોતાના તાજેતરના વાટાઘાટોમાં "સંવાદની વાપસી" ની ભારપૂર્વક હિમાયત કરી હતી.'' તિરુમૂર્તિએ યુએનએસસીને જણાવ્યું હતું કે, ''સરહદ પારની જટિલ અને અનિશ્ચિત સ્થિતિથી ભારતીયોના સ્થળાંતરના પ્રયાસો પર પ્રતિકૂળ અસર પડી છે. લોકોની સરળ અને અનુમાનિત હિલચાલ જાળવવી એ મહત્વપૂર્ણ છે. આ એક તત્કાલિક માનવ જરૂરિયાત છે કે જેને તત્કાલિક શરૂ કરવી જોઈએ. હજુ પણ ખૂબ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે અમે ખૂબ જ ચિંતિત છીએ કે જેઓ હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે.''
યુએનએસસીમાં પ્રક્રિયાગત મતદાન દરમિયાન, ટીએસ તિરુમૂર્તિએ રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન મોદીની વાતચીતનો ઉલ્લેખ કર્યો અને કૂટનીતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, "અમે બેલારુસ સરહદ પર વાતચીત કરવા માટે બંને પક્ષો દ્વારા આજની જાહેરાતનું સ્વાગત કરીએ છીએ.''
કાયમી સભ્યોએ વીટોનો ઉપયોગ ન હતો કર્યો
નોંધનીય છે કે, 1950 થી અત્યાર સુધી મહાસભાના આવાં માત્ર 10 સત્ર બોલાવવામાં આવ્યા છે, આ 11મું આપાતકાલીન સત્ર હશે. યુક્રેન પર રશિયાના આક્રમણ પર 193 સભ્યોની મહાસભાના આપાતકાલીન વિશેષ સત્ર પર મતદાન કરવા માટે રવિવારે બપોરે (સ્થાનિક સમય અનુસાર) 15 દેશોની સુરક્ષા પરિષદમાં બેઠક મળી હતી. આ બેઠક રશિયન વીટો દ્વારા યુક્રેન વિરૂદ્ધ પોતાની 'આક્રમકતા' પર યુએનએસસીના પ્રસ્તાવને અવરોધિત કર્યાના બે દિવસ બાદ યોજાઇ. યુએનજીએ સત્ર માટે મતદાન પ્રક્રિયાત્મક હતી એટલાં માટે સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો - ચીન, ફ્રાન્સ, રશિયા, યુકે અને યુએસમાંથી કોઇ પણ પોતાના વીટોનો પ્રયોગ ન હોતું કરી શકતું.
મહાસભાના 76માં સત્રના અધ્યક્ષ અબ્દુલ્લા શાહિદને જિનેવામાં માનવાધિકાર પરિષદના 49માં નિયમિત સત્રમાં સામેલ થવાનું હતું પરંતુ તેઓએ 'યુક્રેનની વર્તમાન સ્થિતિ અને સુરક્ષા પરિષદ'માં થનારા ઘટનાક્રમને ધ્યાને રાખતા યાત્રા રદ કરી દેવાઇ. તેઓએ શનિવારના સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેનના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત સર્જેઇ કિસલિતસ્યા સાથે પણ મુલાકાત કરી.