જમ્મૂ-કાશ્મીરમાંથી ધારા-370 હટાવવાના નિર્ણયને લઇને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આજે ચર્ચાની સંભાવના જોવામાં આવી રહી છે. UNSCના પ્રેસિડેન્ટ રોનેકાએ કહ્યું હતું કે ભારત દ્વારા જમ્મૂ-કાશ્મીરમાંથી 370 ધારા હટાવવાને લઇને ચીને અરજી કરી બોલાવેલા માગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે ચીન સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય છે. યુએનએસસીના અધ્યક્ષના જણાવ્યા અનુસારો જો કમિટિના મેમ્બર ઉપસ્થિત હશે તો 16 ઓગસ્ટના રોજ સત્ર બોલાવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ આ અગાઉ યુનએનમાં પત્ર લખી ભારતે લીધેલા કાશ્મીર નિર્ણય પર સત્ર બોલવા અપીલ કરી હતી. ચીન યુએનનું સ્થાય સભ્ય હોય તેને પાકિસ્તાનને સાથ આપતા ગુપ્ત બેઠક કરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભારત દ્વારા જમ્મૂ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવવાના નિર્ણય બાદ પાકિસ્તાને સમર્થન માટે દુનિયાના દેશો સમક્ષ રજૂઆત કરી હતી. પરંતું કોઇદેશે પાકિસ્તાનને સમર્થન કર્યું નહોતું. અમેરિકા અને રશિયાએ આ મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપ્યું નહોતું.
રશિયાએ ભારતના નિર્ણયને બંધારણીય હોવાનું જણાવ્યું હતું. રશિયા પણ યુએનમાં સ્થાયી સભ્ય છે. અમેરિકાએ પણ જમ્મૂ-કાશ્મીર મુદ્દાને દ્વિપક્ષીય જણાવ્યો હતો. જ્યારે સંયુક્ત અરબ અમીરાતે પણ ભારતનો આંતરિક મામલો કહ્યું હતું.
જ્યારે પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાનને આરોપ લગાવતાં કહ્યું કે ધારા 370 હટી જવાથી સ્થાનિક સહિત આંતરરાષ્ટ્રીય સરહદ પર શાંતિનું જોખમ ઉભુ થઇ શકે છે. જો કે ભારતે પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે અમે કોઇ પણ આંતરરાષ્ટ્રીય સરહદનું ઉલ્લંઘન કર્યું નથી.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ જણાવ્યું કે અમે રશિયાના વિદેશ પ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેમાં યુએનએસસીમાં રશિયા કાશ્મીર મામલે પાકિસ્તાનને સમર્થન કરે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કુલ 15 સભ્ય છે, જેમાં 5 સ્થાયી અને 15 અસ્થાયી સભ્ય છે. અસ્થાયી સભ્યનો કાર્યકાળ થોડા વર્ષનો હોય છે જ્યારે સ્થાયી સભ્ય આજીવન હોય છે. સ્થાયી સભ્યોમાં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટેન અને ફ્રાંસ સામેલ છે. જ્યારે અસ્થાયી દેશમાં બેલ્જિયમ, કોટ ડીવોઅર, ડોમિનિક રિપબ્લિક, ઇક્વેટોરિયલ ગુઅની, જર્મની, ઇન્ડોનેશિયા, કુવેત, પેરુ, પોલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશ છે.