મહારાષ્ટ્રમાં મંત્રીમંડળ વિસ્તાર બાદ કોંગ્રેસ ધારાસભ્યોમાં અસંતોષ દિવસેને દિવસે વધતો જાય છે. પાર્ટીમાં વિખવાદની સ્થિતિ ઉભી થઇ ગઇ છે. પૂણેના ધારાસભ્ય સંગ્રામ થોપટેના સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી, કેમકે તેમને મંત્રી પદ આપવામાં આવ્યું નથી. માત્ર થોપટે જ નહીં, પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની પુત્રી પ્રણીતિ શિંદેને પણ મંત્રીમંડળથી બહાર રાખવામાં આવ્યા.
મહારાષ્ટ્રમાં મંત્રીમંડળ વિસ્તાર બાદ કોંગ્રેસ ધારાસભ્યોમાં અસંતોષ
પૂણેના ધારાસભ્ય સંગ્રામ થોપટેના સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી
સુશીલ કુમાર શિંદેની પુત્રી પ્રણીતિ શિંદેને પણ મંત્રીમંડળથી બહાર રાખવામાં આવ્યા
સંગ્રામ થોપટેના સમર્થકોએ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પત્ર લખ્યું છે, જ્યારે કેટલાકે પાર્ટી પ્રતિ બળવાનું વલણ અપનાવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે આ લોકોને પાર્ટીની અંદર કર્ણાટક જેવી કોઇપણ પ્રકારના બળવાને ખતમ કરવા વાત કરશે.
થોરાટે ફગાવી અસંતોષની વાત
બીજી તરફ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બાલા સાહેબ થોરાટે બુધવારે પાર્ટીની અંદર ધારાસભ્યોની અસંતુષ્ટિની વાતને ફગાવી દીધી છે. થોરાટે સંગ્રામ થોપટેના વિશે પૂછવા પર કહ્યું, 'મેં તેમની (થોપટે) સાથે વાત કરી છે. કોંગ્રેસ એક પરિવાર જેવી છે અને તેમને તેમનો હક મળશે'. થોરાટે આગળ કહ્યું કે, રાજ્યમાં ત્રણ પાર્ટીઓની સરકાર છે, એવામાં અમને ઓછા મંત્રી પદ મળ્યું છે.
વરિષ્ઠ નેતા પણ નારાજ
સંગ્રામ થોપટેના ઉપરાંત કોંગ્રેસના કેટલાક અન્ય વરિષ્ઠ નેતા પણ ઉદ્ધવ સરકારના કેબિનેટ વિસ્તારને લઇને નારાજ છે. સુશીલ કુમાર શિંદે, પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણ જેવા સીનિયર કોંગ્રેસ લીડર મંત્રી પદની વહેંચણીમાં પોતાના અનાદરને લઇને નારાજગી જાહેર કરવા માટે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરવાના છે.
પોર્ટફોલિયોને લઇને પણ મુશ્કેલી
જ્યારે મંત્રી પદ મેળવનારા કોંગ્રેસ નેતાઓમાં પણ પોતાના કેબિનેટ પોર્ટફોલિયોને લઇને નારાજગીના સમાચાર સામે આવી રહી છે. મીડિયાની કેટલીક રિપોર્ટ્સ મુજબ, મહેસૂલ મંત્રાલયને લઇને કોંગ્રેસ-એનસીપી સામ-સામે છે.