જમ્મુ-કાશ્મીરની સરહદ પર પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગ કરી રહ્યું છે અને ભારતીય નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. ભારતમાં ઘુસણખોરીનાં હેતુથી પાકિસ્તાન સતત ભારતીય ચોકીઓને નિશાન બનાવી રહ્યું છે.
પાકિસ્તાનનાં યુદ્ધવિરામનાં ઉલ્લંઘનમાં 21 ભારતીયોનાં થઇ ચૂક્યાં મોત
પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સરહદ પર શાંતિ જાળવવાનું કહેવાયું
370ને રદ કરવાનાં નિર્ણયને પાકિસ્તાન પચાવી નથી શકતુંઃ રાજનાથ સિંહ
આંકડાઓ દર્શાવે છે કે ઉશ્કેરણી કર્યા વગર પાકિસ્તાને આ વર્ષે 2050થી પણ વધુ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે જેમાં 21 ભારતીયોનાં મોત નિપજ્યાં હતાં. જો કે ભારતે પણ પાકિસ્તાને કરેલા ફાયરિંગનો વળતો જડબાતોડ જવાબ આપ્યો છે.
વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા નિવેદનમાં રવિવારનાં રોજ કહ્યું કે, પાકિસ્તાન (Pakistan) ને કહી દેવામાં આવ્યું છે કે તે પોતાનાં સુરક્ષાદળોને 2003નાં યુદ્ધવિરામ (ceasefire) નું પાલન કરવાનું કહે. ભારતે કહ્યું કે પાકિસ્તાન નિયંત્રણ રેખા (LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ પર શાંતિ જાળવી રાખે. સેના પાકિસ્તાનનાં દરેક યુદ્ધ વિરામનાં ઉલ્લંઘનનો કડકાઇથી જવાબ આપી રહી છે અને આતંકવાદીઓની ઘૂસણખોરીને રોકવાનો પ્રયાસ કરતી રહે છે.
MEA:We've repeatedly called upon Pak to ask its forces to adhere to 2003 ceasefire understanding&maintain peace&tranquility along LoC &international border. Indian forces exercise maximum restraint&respond to unprovoked violations&attempts at cross border terrorist infiltration https://t.co/sbpz53UvA3
આ પહેલાં, આતંકવાદનાં મુદ્દા પર રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને આડે હાથ લઇ ચૂક્યું છે. રાજનાથ સિંહે શનિવારનાં રોજ કહ્યું કે, પાકિસ્તાનને આતંકવાદ પર લગામ લગાવવી જોઇએ નહીં તો કોઇ પણ આને ટુકડાઓમાં તોડવાથી નહીં રોકી શકે. રાજનાથ સિંહે કહ્યું કે, ભારતનાં લઘુમતી લોકો સુરક્ષિત હતાં, સુરક્ષિત છે અને સુરક્ષિત રહેશે. ભારત જાતિ અથવા તો ધર્મનાં આધાર પર લોકોને વિભાજિત નથી કરતું. રાજનાથ સિંહે કહ્યું કે, કલમ 370ને રદ કરવાનાં ભારતનાં આ નિર્ણયને પાકિસ્તાન પચાવી નથી શકતું. પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં આવી ગયું અને તેને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી.