કેન્દ્રીય નાણા મંત્રાલયે નોર્થ બ્લોકમાં મીડિયાની એન્ટ્રી પર રોક લગાવી દીધી છે. જોકે, માત્ર એ માન્યતા પ્રાપ્ત પત્રકારોકારોને અંદર જવા દેવામાં આવી રહ્યા છે. જેમણે પહેલાથી જ અધિકારીઓથી મળવાનો સમય લઇ રાખ્યો છે. આ વિશે નાણામંત્રી નિર્મલા સીતારમણની ઓફિસથી એક સ્પષ્ટીકરણ પણ જાહેર કરવામાં આવ્યું છે.
નાણામંત્રીની ઓફિસથી જાહેર કરાયેલ સ્પષ્ટીકરણમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલયની અંદર મીડિયાકર્મીઓની એન્ટ્રી સંબંધમાં એક પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. અને મંત્રાલયમાં પત્રકારોના પ્રવેશ પર કોઇપણ પ્રકાનું બેન નથી.
આપને જણાવીએ કે, જૂની પરંપરા હેઠળ, નાણા મંત્રાલયના કાર્યાલય વાળા નોર્થ બ્લોક માત્ર બજેટ રજૂ થવાના પહેલા બે મહીના સુધી મીડિયાની પંહોચથી દૂર રહ્યા હતા. જોકે, આ વર્ષે 5 જૂલાઇએ 2019-20નું બજેટ રજૂ થયા બાદ મંત્રાલયના ગેટ પર તૈનાત ગાર્ડ વિના એપોઇન્ટમેન્ટના પત્રકારોને અંદર જવાની અનુમતિ આપી રહ્યા નથી. ઉપરાંત પીઆઇબી કાર્ડ ધારક માન્યતા પ્રાપ્ત પત્રકારોને પણ રોકવામાં આવી રહ્યા છે.
આપને જણાવીએ કે આ સંબંધમાં સીતારમણના કાર્યાલયે ટ્વિટ કરીને નાણા મંત્રાલયના પ્રવેશ પર બેન સાથે જોડાયેલા સમાચાર પર સ્પષ્ટતા કરી હતી. એમના તરફથી કહેવામાં આવ્યું હતું કે, પીઆઇબીથી માન્યતા પ્રાપ્ત તમામ મીડિયા કર્મીઓને પહેલાથી જ એપોઇન્મેન્ટના આધારે પ્રવેશ આપવામાં આવશે. નોર્થ બ્લોક પર પ્રવેશ પર કોઇ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી.