ઉન્નાવ રેપ કેસના આરોપી પૂર્વ MLA કુલદીપ સેંગરના ભાઈ મનોજ સેંગરનું મોત થઇ ગયું છે. ઉન્નાવની પીડિતાના અકસ્માતના મામલામાં મનોજ પણ આરોપી તરીકે હતો.
ઉન્નાવ રેપ કેસના આરોપી પૂર્વ MLA કુલદીપ સેંગરના ભાઈ મનોજ સેંગરનું દિલ્હી ખાતે મોત થઇ ગયું છે. ઉન્નાવની પીડિતાના અકસ્માતના મામલામાં મનોજ પણ આરોપી તરીકે હતો.મનોજની મોત હાર્ટએટેકના કારણે થઇ છે. મનોજ ભાજપના પૂર્વ MLA કુલદીપ સેંગરનો નાનો ભાઈ હતો.
મળેલી જાણકારી અનુસાર સવારે ૩ વાગે મનોજની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મનોજ દિલ્હી રહીને ભાઈ કુલદીપના કેસની પેરવી કરતો હતો. પરિવારના સુત્રોના મતે મનોજના શબને આજે રાત્રે ઉન્નાવ લાવવામાં આવશે અને અગ્નિદાહ સોમવારે આપવામાં આવશે. પરિવાર અગ્નિ સંસ્કાર માટે કુલદીપ અને અતુલ સેંગરના પેરોલ માટે માંગણી કરે તેવી સંભાવના છે.
શું છે સેંગર સામેનો કેસ?
ઉલ્લેખનીય છે કે કુલદીપ સેંગર ઉપર 19 વર્ષીય યુવતી ઉપર બળાત્કારનો આરોપ લાગેલો છે. યુવતીનો આરોપ છે કે 2017માં કુલદીપે પોતાના ઘરે યુવતી સગીરા હતી તે સમયે તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી કુલદીપ અત્યારે જેલભેગા છે. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં થઇ રહી છે.
જુલાઈમાં પીડિતા જયારે તેના કાકા સાથે રાયબરેલીથી ઉન્નાવ જઈ રહી હતી ત્યારે તેમની કારને એક ટ્રકે ટક્કર મારી હતી જેમાં પીડિતાના કાકી અને માસીની મોત થઇ ગઈ હતી અને પીડિતા અને તેના વકીલ ગંભીર રીતે ઘવાયા હતા. પીડિતાનો આરોપ હતો કે આ હુમલો કુલદીપે કરાવ્યો છે. આ આરોપમાં મનોજનું પણ નામ હતું.