મધ્યપ્રદેશના છિન્દવાડામાં એક અત્યંત કરુણ ઘટના બની હતી.એક મહિલાને અપ્રાકૃતિક સંબંધ બનાવવાના કારણે લગ્ન દિવસે જ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો
મધ્યપ્રદેશના છિન્દવાડાની દુઃખદ ઘટના
લગ્નગાંઠના દિવસે જ પત્નીએ ગુમાવ્યો જીવ
અપ્રાકૃતિક શારીરિક સંબંધ માણવાને કારણે બની ઘટના
મધ્યપ્રદેશના છિન્દવાડામાં એક અત્યંત કરુણ ઘટના બની હતી. આ ઘટનામાં એક મહિલાને અપ્રાકૃતિક સંબંધ બનાવવાના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર બનાવમાં લગ્નની એનિવરશ્રી પર પતિએ પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધ બનાવવા માંગ કરી હતી જે તેને એટલી ભારે પડી હતી કે તેની પત્નીને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
પતિની ધરપકડ
ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી હતી. બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પોલીસ મહિલાના હસબન્ડની ધરપકડ કરી હતી.
બંનેએ દારૂ પી લીધો હતો
પોલીસના જણાવ્યા અનુસાર મામલાની સમગ્ર જાણકારી તેવન મળી ત્યારે ક્ષેત્રના એક ગામડામાં એક ઘરમાં મહિલાનું ડેડ બોડી મળ્યાની જાણકારી જ મળી હતી. પૂછપરછ દરમિયાન ખબર પડી હતી કે આ ઘટના તેણીની લગ્નની તારીખે જ બની હતી. એ દિવસે પતિ પત્ની બંનેએ ખૂબ દારૂ પી લીધો હતો અને ત્યાર બાદ બંનેએ શારીરિક સંબંધ બનાવ્યો હતો.
અપ્રાકૃતિક શારીરિક સંબંધ બનાવવાનું પરિણામ
પરંતુ આરોપ અનુસાર પતિએ તેની પત્ની સાથે અનનેચરલ સેકસ એટલે કે અપ્રાકૃતિક શારીરિક સંબંધ બનાવ્યો હતો. ત્યાર બાદ મહિલાની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને પછીથી તેણી બેભાન થઈ ગઈ હતી. પત્ની ને આ હાલતમાં જોઈ પતિ પણ ગભરાઈ ગયો હતો. અને થોડી વાર પછી બહાર આવી ગયો હતો. જો કે કમનસીબે મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખૂલી ચોંકાવનારી વિગતો
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે મૃતકના ગુપ્તાંગોમાં ગંભીર ઇજા થઈ હતી અને અત્યંત રક્તસ્રાવના કારણે અને હાઇપોવૉલેમિક શોકના કારણે તેણીનું મોત થયું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પતિના કબૂલાતનામાં બાદ પોલિસે તેની ધરપકડ કરી લીધી હતી.
આ મધ્યપ્રદેશના છિન્દવાડામાં બની હતી. સ્વાભાવિક રીતે જ આ ઘટનાની જાણ થતાં તમામ લોકો ચકિત થઇ ગયા છે.
સામાન્ય લોકોએ પણ આમાંથી એ જાણવું રહ્યું કે આ પ્રકારની આદતો કે ઈચ્છાઓ કેટલી ભારે પડી શકે છે. એટલે સુધી કે તમારા પાર્ટનરનો જીવ ગુમાવવવો પડે તેવી સ્થિતિ પણ આવી શકે છે.