ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉન્નાવ ઘટના પર જણાવ્યું છે કે આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. દોષીઓને જલ્દીથી જલ્દી સજા આપવામાં આશે. સીએમ યોગીએ આ ઘટનાને દૂર્ભાગ્ય પૂર્ણ ગણાવી છે, આ સાથે જ કહ્યું કે આ ઘટના દુઃખદ છે.
યુપી સીએમ યોગીએ કહ્યું કે બધા આરોપીઓ પકડાઇ ચૂક્યા છે, જલ્દી થી જલ્દી સજા આપવામાં આવશે. સીએમ યોગીએ કહ્યું કે પીડિત પરિવાર પ્રતિ સંવેદના જતાવી છે. પોલીસે દુષ્કર્મની પીડિતાને સળગાવવા મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં લઇને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આરોપીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.