ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રવિવારે મોડી રાત્રે ટ્રક અને વાન વચ્ચે ટકરાવાની ઘટનામાં 7 લોકોનાં મોત નીપજ્યાં. આ ઘટના કોતવાલી બાંગારમઉના આગ્રા લખનઉ એક્સપ્રેસ વે ટોલ પ્લાઝા સામે બની હતી. જોકે, મૃતકોની સંખ્યાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ઉન્નાવ નજીક ગમખ્વાર અકસ્માત
કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર
7 લોકોના કમકમાટીભર્યા મોત
કહેવામાં આવી રહ્યું છે કે, વિરૂદ્ધ દિશામાં ચાલતી વાન અને ટ્રક એકબીજા સાથે ટકરાઈ હતી. અકસ્માત બાદ વાનને આગ લાગી હતી. આ ઘટનામાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે મૃતકોની સત્તાવાર પુષ્ટિ હજી થઈ નથી.
उन्नाव: कोतवाली बांगरमऊ के आगरा लखनऊ एक्सप्रेस-वे टोल प्लाजा के सामने ट्रक और गलत साइड में चल रही वैन में भिड़ंत। दुर्घटना के बाद वैन में आग लग लगने से वैन में सवार 3 से ज्यादा लोग गंभीर रुप से घायल। अधिक जानकारी की प्रतीक्षा है।
આગનો ગોળો બનેલી વાનમાં 7 લોકો જીવતા બળીને ખાખ થઇ ગયા હતા. જ્યારે ટ્રકને આગ લાગી હતી, જ્યારે ડ્રાઇવર અને ક્લિનર તેને સળગતો છોડીને જ નાસી છૂટયો હતો. પોલીસની સુચના પર ફાયર બ્રિગેડના ત્રણ વાહનોએ આગ પર કાબૂ મેળવ્યો અને વાનની અંદરથી સાત મૃતદેહો મળી આવ્યા. મૃતદેહોને ઓળખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.