ઉન્નાવમાં આજે સવારે બનેલી રેપની ઘટના બાદ પીડિતાને જીવતી સળગાવી નાંખવા મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે પ્રાપ્ત થયેલી વધુ માહિતી અનુસાર પીડિતા 90 ટકા સળગ્યા બાદ ઘટનાસ્થળેથી એક કિલોમીટર સુધી ચાલી હતી. ત્યારબાદ તેના ઘરની બહાર કામ કરી રહેલા વ્યક્તિ પાસે તેણીએ મદદ માગી હતી.
ઉન્નાવમાં સામુહિક બળાત્કારની ઘટના
5 યુવકોએ દુષ્કર્મ બાદ યુવતીને સળગાવવાનો કર્યો પ્રયાસ
યુવતીએ જાતે જ મદદ માટે પોલીસને ફોન કર્યો
ગ્રામજનોએ આ મામલે વાત કરતા એક ન્યૂઝ ચેનલને કહ્યું કે, પાડિતા ઘટનાસ્થળથી આશરે 1 કિલોમીટર જેટલું ચાલીને આવી હતી. ત્યારબાદ તેણીએ જ પોલીસને ફોન કરીને આપવીતી વર્ણવી હતી.
5 યુવકોએ પેટ્રોલ નાંખી યુવતીને સળગાવી
ઉન્નાવમાં માનવતા ફરી લજવાઇ છે. ઉન્નાવના બિહાર થાણા ક્ષેત્રના એક ગામમાં રહેતી સામૂહિક દૂષ્કર્મ પીડિતાને ગુરૂવારના રોજ સવારે 5 યુવકોએ પેટ્રોલ નાંખી સળગાવાનો પ્રયત્ન કર્યો હતો. પિતાએ આપેલ જાણકારી મળ્યા બાદ પોલીસે પીડિતાને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી હતી.
પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર કર્યા આકરા પ્રહાર
उन्नाव पीड़िता के स्वास्थ्य समाचार से मन आहत है। ईश्वर से प्रार्थना है कि पीड़िता जल्द स्वस्थ हो।
कल भाजपा सरकार का बयान था यूपी में सब ठीक है। आज एक बयान और आया। लेकिन क़ानून व्यवस्था के बारे में झूठी बयानबाज़ी व झूठा प्रचार करने की ज़िम्मेदारी CM और उप्र सरकार की ही है।#Unnao
પીડિતાએ આપેલા નિવેદન પર પર આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી જ્યારે 2 હજી ફરાર છે. આ મામલો બિહારના હિંદુનગર ગામનો છે. આ મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે.
હોસ્પિટલમાં પીડિતાએ પોલીસને નોંધાવ્યું નિવેદન
જો કે પીડિતાને સળગવાનો પ્રયત્ન કરતા પીડિતાએ બુમાબુમ કરતા આરોપીઓ ભાગી નીકળ્યાં હતા. પીડિતાએ જણાવ્યું કે આરોપીઓ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પીડિતાએ 5 આરોપીઓના નામ કહ્યા જેમાંથી ત્રણની અટકાયત કરી અને પુછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે અન્ય બેની શોધખોળ ચાલી રહી છે.