ઉન્નાવ બળાત્કાર કેસના આરોપમાં જેલમાં બંધ ધારાસભ્ય કુલદીપ સિંહ (Kuldeep Singh Sengar) સેંગર વિરુદ્ધ નોંધવામાં આવેલ એફઆઇઆર (FIR)માં કહેવામાં આવ્યું છે કે એમણે જેલની અંદરથી ફોન કરી પીડિત પરિવારને ધમકી આપતા હતા. ફરિયાદમાં કહેવામાાં આવ્યું છે કે કુલદીપ સિંહ ધમકી આપતા ફોન પર કહે છે કે જીવીત રહેવા માંગો છો તો કોર્ટમાં નિવેદન બદલી દો.
કુલદીપ સિંહ સેંગર પર રેપનો આરોપ લગાવનાર મહિલાની કારને એક ટ્રકે ટક્કર મારી હતી. જેમા પીડિતાની માસી અને કાકાનું મોત થઇ ગયું હતું. અને રેપ પીડિતા અને તેમના વકીલ ગંભીર રૂપે ઘાયલ છે. ઘટના બાદ કુલદીપ સિંહ સેંગર સહિત 9 લોકો વિરુદ્ધ હત્યાનો ગૂનો નોંધવામાં આવ્યો છે. જે ટ્રકે ટક્કર મારી છે. એની નંબર પ્લેટ કાળા રંગના પેઇન્ટથી છુપાઇ દેવામાં આવી હતી. જોકે, પોલીસે આરોપી ટ્રક ચાલક અને તેના સહયોગીને પકડી લીધો છે. જ્યારે પીડિત પરિવારનો આરોપ છે કે ધારાસભ્ય કુલદીપ સેંગરે જ એક્સીડેન્ટ કરાવ્યો છે.
FIRમાં નોંધાયા છે આ આરોપ
એક અન્ય મામલામાં ઉંમરકેદની સજા કાપી રહેલા પીડિતાના કાકાની તરફથી આરોપ લગાવાઇ રહ્યો છે કે જેલની અંદરથી કુલદીપ સેન્ગર ધમકી ભર્યા ફોન કરી રહ્યા હતા કે જો જીવીત રહેવા માંગો છો તો કોર્ટમાં નિવેદન બદલી દો. પીડિતા અને તેમની માસી અને કાકી એમને મળીને રાયબરેલીથી ઉન્નાવ પાછા જઇ રહ્યા હતા. રસ્તામાં ગુરુબખ્શ સિંહ નામની એક જગ્યા પાસે ટ્રકે તેમની કારની ટક્કર મારી દીધી હતી.
ફરિયાદમાં અન્ય એક આરોપ લાગ્યો છે કે કુલદીપ સિંહ સેંગરના લોકોએ ધમકી આપી હતી કે જો એમણે કેસમાં સમાધાન નથી કરતા તો તમામની હત્યા કરી દેવામાં આવશે. આ વાતને લઇને જ્યારે પોલીસને ફરિયાદ કરવામાં આવી તો પોલીસનું કહેવું હતું કે કુલદીપ સિંહ સેંગર એક ધારાસભ્ય છે. અને બીજેપી સાથે છે. પીડિતાના કાકાએ આરોપ લગાવ્યા છે કે પોલીસ પણ નોકરીના ડરથી એમને સમાધાન કરાવા કહ્યું.
પીડિતાના કાકાનું કહેવું છે કે ધારાસભ્યના લોકોએ કહ્યું છે કે આખી સરકાર તેમની સાથે છે. આરોપમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ધમકીઓ અલાહાબાદ કોર્ટની તરફથી બળાત્કારના મામલામાં એક સહ અભિયુક્તના જામીન ફગાવ્યા બાદ વધી ગઇ છે. મુલાકાત દરમિયાન કાકાએ પરિવારને દિલ્હી ચાલ્યા જવા કહ્યું હતું જેથી સુરક્ષિત રહી શકે.
પોલીસ પર ઉઠ્યા સવાલ
એફઆઇઆરમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષામાં તેહનાત એક પોલીસ કર્મીએ પીડિતા વિશેની તમામ જાણકારી કુલદીપ સિંહ સેંગરને આપતો હતો.
લોકસભામાં ઉન્નાવ મામલે હંગામો
ઉન્નાવ રેપ પીડિતા સાથે થયેલ એક્સિડેન્ટ મામલામાં વિપક્ષે મંગળવારે લોકસભામાં જોરદાર હંગામો કર્યો. વિપક્ષી સાંસદોએ 'વડાપ્રધાન જવાબ આપો....બેટી બચાવો, બેટી પઢાવોનું શું થયું,' ઉન્નાવની બેટીને બચાવો' જેવા નારા લગાવ્યા. બીજેપી સાંસદ જગદંબિકા પાલે કહ્યું કે જે ટ્રકથી રેપ પીડિતાની કારની ટક્કર વાગી છે તે સપા પાર્ટીના કાર્યકર્તાનો છે.
બળાત્કારના આરોપમાં જેલમાં બંધ કુલદીપ સિંહ સેંગર ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય છે. કુલદીપ સિંહ સેંગર વર્ષ 2002માં બીએસપી (BSP)ની ટિકિટ પર યુપીની ઉન્નાવ સદરથી ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2007માં સમાજવાદી પાર્ટીની ટિકિટથી બાંગરમઉ બેઠક પરથી ચૂંટાયા હતા. જ્યારે 2012માં ભગવંત નગર બેઠક પરથી ચૂંટાયા હતા. વર્ષ 2017માં કુલદીપ સિંહ સેંગરે ભાજપ જોઇન કરી હતી. અને બાંગરમઉ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.
કુલદીપ સિંહ સેંગર બાંગરમઉથી ધારાસભ્ય
કુલદીપ સિંહ સેંગર ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય છે. તે બળાત્કાર મામલે એક વર્ષથી જેલમાં બંધ છે. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે કુલદીપ સિંહ સેંગરે તેની સાથે બળાત્કાર કર્યો હતો. જ્યારે તે કુલદીપ સેંગરના ઘરે 2017માં નોકરી માટે ગઇ હતી. બાદમાં તેમના પિતાને પોલીસે પકડી લઇ ગઇ હતી. જ્યા કસ્ટડીમાં તેમનું મોત થઇ ગયું હતું. પિતાના મોત પહેલા કુલદીપ સિંહ સેંગરના ભાઇ અતુલ સેંગર અને તેમના લોકોએ પોલીસ કસ્ટડીમાં પિતાને માર માર્યો હતો. અતુલ સિંહ સેંગરની પણ હત્યાના મામલામાં ધરપકડ કરાઇ છે.