CBI ની ફોરેન્સિક ટીમે શુક્રવારે રાયબરેલીના ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. છ સભ્યોની ટીમે ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડિતા, પરિવારજનો તથા વકીલની સાથે થયેલ અકસ્માતનું દૃશ્ય પુનરાવર્તન કરીને અને ઘટનાને ક્રમશ: સમજી હતી. આ માટે સીબીઆઈની ટીમે ડ્રોન કેમેરાની પણ મદદ કરી હતી. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે 7 દિવસની અંદર આ મામલા અંગેની તપાસ કરીને એક રિપોર્ટ સોંપવાનો CBI ને આદેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ તપાસ દરમિયાન કાર-ટ્રક દુર્ઘટનાના ઓરોપી ટ્રક ડ્રાઇવર તથા ક્લીનરને 7 દિવસ સુધી કસ્ટડીમાં લઇને લખનઉ જેલમાં મોકલી આપ્યા છે. બંન્ને આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે શનિવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.
Raebareli: Central Bureau of Investigation (CBI) team reaches the site where Unnao rape survivor met with an accident on July 28. In the accident the victim, her lawyer sustained injuries while her two aunts died on the spot. pic.twitter.com/r23EU3ZX6T
પીડિતાની સાથે થયેલ માર્ગ અકસ્માતની ઘટનાની તપાસ માટે આવી પહોંચેલ CBI ની મદદ માટે SP, ASP, DSP, ઇન્સપેક્ટર, સહિત 20 અધિકારીઓની ટીમની રચના કરવામાં આવી છે. આ સિવાય તેમની સાથે CFSL ની પણ એક ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી છે.
શું બની હતી ઘટના
ઉત્તર પ્રદેશના રાયરેલીમાં રવિવારે એક માર્ગ અકસ્માત દુર્ઘટનામાં ઉન્નાવ રેપ પીડિચા ગંભીર રૂપથી ઘાયલ થઇ છે. આ ઘટનામાં પીડિતાના કાકી અને માસીનું મોત નિપજ્યું હતું. ગંભીર રૂપે ઘાયલ થયેલ ઉન્નાવની પીડિતાને લખનઉના ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે, આ તે પીડિતા છે જે મામલે ઉન્નાવના ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર આરોપી છે.
સુરક્ષા માટે CRPF ટૂકડી ખડેપગે
સુપ્રીમના આદેશ બાદ પીડિતાની સુરક્ષા માટે CRPF ની એક ટીમને લખનઉના ટ્રોમ સેન્ટર મોકલવામાં આવી છે. જે સારવાર લઇ રહેલી પીડિતાની સુરક્ષા કરશે.
પ્રિયંકા ગાંધી વાડ્રાનું નિવેદન
उन्नाव बलात्कार मामला व पीड़िता के पूरे परिवार को प्रताड़ित करना सत्ता के सरंक्षण के बिना सम्भव नहीं।
अब परतें खुल रही हैं व भाजपा नेताओं के नाम और पुलिस की लीपापोती सामने आ रही है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 31, 2019
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ બીજેપી પર હુમલો કરતા ટ્વવિટ કરી કહ્યું કે, 'ઉન્નાવ બળાત્કાર મામલા અને પરિવારને તકલીફ પહોંચાડવી સત્તાના સંરક્ષણ વિના સંભવ નથી. હવે ધીરે-ધીરે હકીકત સામે આવી રહી છે, અને ભાજપ નેતાઓના નામ અને પોલીસનું ઢીલાપણું સામે આવી રહ્યું છે.'
અખિલેશે યાદવે હત્યાનો પ્રયાસ ગણાવ્યો
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની સાથે ગંભીર ઘટના થઈ છે. તેમણે આ ઘટના પાછળ પીડિતાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. અખિલેશ યાદવે આ ઘટનામાં સીબીઆઈ તપાસની માંગણી કરી છે.
ઉન્નાવ દુષ્કર્મ મામલે બે મોત પહેલાં જ થઈ ચૂક્યા છે. પીડિતાના પિતાનું જેલમાં જ એપ્રિલ 2018માં એક હુમલા પછી મોત થઈ ગયું છે. આ હુમલાના સાક્ષીનું ઓગસ્ટ 2018માં શંકાસ્પદ રીતે મોત થઈ ગયું છે.