દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા ઉન્નાવ દુષ્કર્મ પીડિતાને આઇજીઆઇ એરપોર્ટથી એમ્સથી ટ્રોમા સેન્ટર સુધી લાવવા માટે એક ગ્રીન કોરિડોર બનાવાયો. અને 14 કિલોમીટરનું અંતર 18 મિનિટમાં પૂર્ણ કરવામાં આવ્યું. પોલીસે બતાવ્યું કે ગત સપ્તાહે રોડ એક્સિડેન્ટમાં ગંભીર રૂપે ઘાયલ પીડિતાને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સોમવારે લખનઉથી હવાઇ માર્ગ દ્વારા સોમવારે સાંજે દિલ્હી લઇ જવામાં આવી.
આ સંબંધમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બતાવ્યું કે એમ્સના ડોક્ટરોની સલાહ પર પીડિતાને અવરોધ વિના રસ્તો આપવામાં આવ્યો. એમ્બુલેન્સ એરપોર્ટના ટર્મિનલ-1થી રાત્રે 9 વાગ્યે ઉપડીને ટ્રોમા સેન્ટરમાં રાત્રે 9 વાગ્યાને 18 મિનિટ પર પહોંચી હતી.
પીડિતાએ ટર્મિનલ-1થી થિમ્મેયા માર્ગ, પરેડ માર્ગ, જીજીઆર, ધોલા કુઆ લૂપ, રિંગ રોડ, મોતી બાગ ફ્લાઇઓવર, હયાત ફ્લાઇઓવર અને રાજનગર ફ્લાઇઓવરથી ઇમરજન્સી દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવી. સૂત્રો અનુસાર પીડિતાને સોમવારે રાત્રે ટ્રોમા સેન્ટરથી આઇસીયૂમાં ભરતી કરવામાં આવી.
એમણે બતાવ્યું કે પીડિતાને એમ્સ ટ્રોમા સેન્ટરમાં ભરતી કરવામાં આવી છે અને ડોક્ટરોની એક ટીમ પીડિતાની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પીડિતા અને તેના વકીલ 28 જુલાઇએ રાયબરેલીમાં એક એક્સિડેન્ટમાં ગંભીર રૂપે ઘાયલ થઇ ગયા હતા.
આ એક્સિડેન્ટમાં પીડિતાની કાકી અને માસીના મોત થયા હતા. આ મામલામાં પીડિતાના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે આ ઘટના કોઇ અકસ્માત નથી, પરંતુ તેને બળાત્કારના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરે કરાવ્યો હતો.