ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. યુવતી ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોપીઓએ ઉન્નાવ દુષ્કર્મ પીડિતાને ખેતરમાં લઈ જઈને પેટ્રોલ છાંટીને જીવતી સળગાવા પ્રયત્ન કર્યો હતો. જો કે અત્યાર સુધીમાં આ મામલે 3 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે 2 આરોપીઓ હજી ફરાર છે.
ઉન્નાવમાં દુષ્કર્મ પીડિતાને સળગાવાનો પ્રયત્ન
5 લોકોએ પેટ્રોલ છાંટીને લગાવી આગ
3 આરોપીઓની ધરપકડ, 2 ફરાર
ઉન્નાવમાં માનવતા ફરી લજવાઇ છે. ઉન્નાવના બિહાર થાણા ક્ષેત્રના એક ગામમાં રહેતી સામૂહિક દૂષ્કર્મ પીડિતાને ગુરૂવારના રોજ સવારે 5 યુવકોએ પેટ્રોલ નાંખી સળગાવાનો પ્રયત્ન કર્યો હતો. પિતાએ આપેલ જાણકારી મળ્યા બાદ પોલીસે પીડિતાને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી હતી.
પીડિતાએ આપેલા નિવેદન પર પર આ મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી જ્યારે 2 હજી ફરાર છે. આ મામલો બિહારના હિંદુનગર ગામનો છે. આ મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે.
જો કે પીડિતાને સળગવાનો પ્રયત્ન કરતા પીડિતાએ બુમાબુમ કરતા આરોપીઓ ભાગી નીકળ્યાં હતા. પીડિતાએ જણાવ્યું કે આરોપીઓ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પીડિતાએ 5 આરોપીઓના નામ કહ્યા જેમાંથી ત્રણની અટકાયત કરી અને પુછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે અન્ય બેની શોધખોળ ચાલી રહી છે.