ઉન્નાવ દુષ્કર્મ પીડિતા સાથે રોડ દુર્ઘટનામાં સીબીઆઇએ ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે. આ દુર્ઘટનામાં રેપ પીડિતા અને તેમના વકીલને ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે પીડિતાના એક પરિવારજનનું મોત થયું હતું.
CBIએ ચાર્જશીટ દાખલ કરી
કુલદીપ સિંહ સેંગર અને ડ્રાઇવરને સીબીઆઇએ આરોપી બનાવ્યા
ભાજપમાંથી હાંકી કઢાયેલ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને ડ્રાઇવર આશીષકુમાર પાલને સીબીઆઇએ આરોપી બનાવ્યા છે. આ મામલે કુલદીપ સેંગર અને તેમના સહયોગીઓ વિરૂદ્ધ સીબીઆઇના ગુનાપત્રમાં હત્યાનો કોઇ આરોપ સામેલ નથી કરવામાં આવ્યો.
ડ્રાઇવર આશીષ કુમાર પાલે IPC કલમ 304-એ, 338 અને 279 હેઠળ આરોપી બનાવવામાં આવ્યા છે. ચાર્જશીટ લખનૌમાં દાખલ થઇ. કુલદીપસિંહ સેંગર અને અન્ય આરોપીઓ પર 120 બી હેઠળ આરોપ લગાવવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો ?
જેલમાં બંધ પોતાના કાકાને મળવા જઇ રહેલ દુષ્કર્મ પીડિતાની કારને એક ટ્રકે ટક્કર મારી દીધી હતી. આ ઘટના 28 જુલાઇની છે. આ દુર્ઘટનામાં પીડિતાના બે મિત્રોના મોત થઇ ગયા હતા, જ્યારે પીડિતા અને તેમના વકીલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.
પીડિતાના પરિવારજનોએ આ દુર્ઘટના પાછળ કુલદીપસિંહ સેંગરનો હાથ હોવાનો અને હત્યા અને હત્યાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો. જણાવી દઇએ કે, પીડિતાને સારવાર માટે ગંભીર હાલતમાં એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પીડિતાને 25 સપ્ટેમ્બરે હોસ્પિટલમાંથી રજા મળી હતી.