સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા બાદ ઉન્નાવ દુષ્કર્મ પીડિતાને સોમવારે સાંજે એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જવામાં આવી છે. હવે તેની સારવાર દિલ્હી એમ્સમાં કરવામાં આવશે. જણાવવામાં આવ્યું હતું કે પીડિતાને સાંજે પાંચ વાગ્યે એરલિફ્ટ કરવામાં આવી હતી.
Unnao rape survivor was flown from Lucknow to be admitted in AIIMS Trauma Care, Delhi. On the advice of doctors of AIIMS, the journey of the ambulance carrying her was facilitated by providing free passage. Ambulance left airport at 9 pm & reached AIIMS Trauma Care at 9.18 pm.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પીડિતા અને તેના વકીલની લખનઉના કેજીએમયુના ટ્રોમા સેન્ટરમાં સારવાર કરવામાં આવી રહી હતી. જ્યાં બંનેની હાલત નાજુક બની હતી. અકસ્માત બાદ તે વેન્ટિલેટર પર હતી. 31 જુલાઈએ, પીડિતાથી થોડા સમય માટે વેન્ટિલેટર હટાવવામાં આવ્યું હતું, જેમાં તેણીને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેથી ફરી તેને વેન્ટિલેટર પર લેવામાં આવી હતી.
નોંધનીય છે કે, વકીલ વેન્ટિલેટર વગર શ્વાસ લઇ શકે છે પરંતુ હાલત હજી નાજુક છે. વકીલની આંગળીઓ મુવમેન્ટ કરી રહી છે. જો કે પીડિતા તથા વકીલ અકસ્માતની ઘટના બાદ બેભાન હાલતમાં છે.
કાર અકસ્માતની CBI ને સોંપાઇ તપાસ
ઉન્નાવ ગેંગરેપ (Unnao Case) પીડિતાના કાર અકસ્માત મામલે કેન્દ્ર સરકારે CBI ને તપાસ સોંપી છે. સોમવારે ઉત્તરપ્રદેશ સરકારે આ મામલે સીબીઆઈ તપાસનું સુચન કેન્દ્ર સરકારને મોકલ્યું હતું અને પ્રદેશ સ્તરે તપાસ કરવા માટે SITની રચના કરી હતી.
જોકે, હવે કેન્દ્રએ સીબીઆઈ તપાસના આદેશ કરતા સીબીઆઈની ટીમ પહોંચતાની સાથે SIT સીબીઆઈને તપાસનો દોર સોંપી દેશે. આપને જણાવી દઈએ કે પીડિતા સાથે ગેંગરેપનો કેસ પહેલેથી સીબીઆઈ પાસે છે ત્યારે હવે તેના અકસ્માતની તપાસ પણ સીબીઆઈ કરશે.