ઉન્નાવ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પીડિતાની માતા ખુશ છે. પીડિતાની માતાએ કહ્યું કે અત્યારે અમે લખનઉમાં જ રહીને ઇલાજ કરાવીશું. દિલ્હી નહીં જઇએ. જો અહીના તબીબો જવા અંગે કહેશે તો અમે વિચારીશું. આરોપી વિધાયક કુલદીપ સેંગરને ભાજપમાંથી નીકાળવા પર પીડિતાની માતાએ જણાવ્યું કે આ કામ બહુ પહેલા કરવાનું હતું, ઘણું મોડુ થયું.
રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ ઉન્નાવ રેપની પીડિતાની સ્થિતિ સ્થિર બતાવવામાં આવી રહી છે. જો કે હાલમાં કેજીએમયૂના ટ્રોમા સેન્ટરના ન્યૂરો વોર્ડમાં પીડિતા અને તેના વકીલ આઇસીયુમાં દાખલ છે. બંનેની હાલત અતિ ગંભીર છે અને તેઓ કોમામા છે.
જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ કેજીએમયુના ડોકટરોએ ગુરૂવારના રોજ ટ્રોમામાં દાખલ કરાયેલા ઉન્નાવ રેપ પીડિતા તેમજ વકીલ પરથી વેન્ટિલેન્ટર હટવા ઓક્સિજન સપોર્ટ પર રાખી તપાસ કરી, પરંતુ થોડી મીનિટમાં બંનેની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળ્યું છે.
તબીબો દ્વારા આ પ્રકારનું બે વાર પરીક્ષણ કરવામાં આવ્યું, પરંતુ શ્વાસ લેવામાં તકલીફ પડતાં ફરી બંનેને વેન્ટિલેન્ટર પર રાખી દેવામાં આવ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ વચ્ચે સુપ્રીમ કોર્ટ દ્વારા પીડિતાનો મેડિકલ રિપોર્ટ તપાસીને ડોકટરો સાથે તેને દિલ્હી એરલિફ્ટ કરાવવા કે કેજીએમએયુમાં જ ઇલાજની શક્યતા છે કે નહીં તે અંગે ચકાસવા જણાવ્યું છે. જો કે સૂત્રોને મળતી જાણકાકરી મુજબ મેડિકલ બોર્ડ દ્વારા પીડિતાને દિલ્હી એરલિફ્ટ કરવાની મંજૂરી આપી છે.