ઉન્નાવ દુષ્કર્મની પીડિતાનો મૃતદેહ ગઈકાલે ઉન્નાવ પહોંચ્યો હતો. આજે સવારે 10 વાગ્યે આ દીકરીના અંતિમ સંસ્કાર થનાર છે. પીડિતાના પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી મુખ્યમંત્રી નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે.
ઉન્નાવ દુષ્કર્મ બાદ હત્યાનો મામલો
પીડિત પરિવાર અંતિમ સંસ્કાર માટે તૈયાર નહીં
મુખ્યમંત્રી ન આવે ત્યા સુધી અંતિમ સંસ્કાર નહીં-પીડિત પરિવાર
CM યોગી આવશે ત્યારે જ અંતિમ સંસ્કાર થશેઃ પીડિતાનો પરિવાર
ઉન્નાવ દુષ્કર્મની પીડિતાનો મૃતદેહ શનિવારે પોતાના શહેર ઉન્નાવ પહોંચ્યો હતો. આજે સવારે 10 વાગ્યે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ સમયે પીડિતાના પરિવારજનોએ જણાવ્યું છે કે જ્યાં સુધી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નહીં આવે ત્યાં સુધી મૃતદેહનો અગ્નિસંસ્કાર નહીં કરવામાં આવે.
પરિવારે આ વાત પણ કહી
પીડિતાના પરિવારે કહ્યું કે મતૃદેહને દફનાવવામાં આવશે અને તેનું સ્મારક પણ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પીએમ આવાસ યોજના ફંડની મદદથી પીડિતાના પરિવારને 25 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરવામાં આવી છે અને સાથે જ સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાનો ભરોસો પણ આપ્યો છે.