ઉન્નાવની પીડિતાને આજે દિલ્હીની તીસ હજારી કોર્ટે ન્યાય આપ્યો છે. કુલદીપ સેંગરને કોર્ટે આજીવન કેદની સજા આપી છે. અપહરણ અને દુષ્કર્મ કેસમાં તેને સજા આપવામાં આવી છે. દુષ્કર્મ અને અપહરણના કેસમાં કુલદિપ સેંગરને સજાની સાથે રૂપિયા 25 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
કુલદીપ સેંગરને કોર્ટે આજીવન કેદની સજા આપી છે. અપહરણ અને દુષ્કર્મ કેસમાં તેને સજા આપવામાં આવી છે. દુષ્કર્મ અને અપહરણના કેસમાં કુલદિપ સેંગરને સજાની સાથે રૂપિયા 25 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
સેંગરની સંપત્તિ અંગે વકીલની દલીલ
સેંગરના દસ્તાવેજના આધારે તેમની કુલ ચલ અને અચલ સંપત્તિ 44 લાખ રૂપિયાની આંકવામાં આવી છે. સુનાવણી પહેલાં સેંગરના વકીલે કહ્યું છે કે તેમનું મૂલ્ય હાલમાં ઘટી ગયું છે. તેનું કારણ તેમની કારની ઘટેલી કિંમત છે. આ સિવાય સેંગરની દીકરીનું મેડિકલમાં એડમિશન કરાવવામાં આવ્યું છે જેની ફી આપ્યા બાદ આ રકમ ઓછી થઈ જશે.
પીડિતાના વકીલનું નિવેદન
પીડિતાના વકીલે કહ્યું કે ઉન્નાવની પીડિતાનું ઘર સંપૂર્ણ રીતે તૂટી ચૂક્યું છે. આ સિવાય પીડિતાના પિતા પાસે 3 ભાઈઓની વચ્ચે 3 વીઘા જમીન છે.પીડિતાના વકીલે કહ્યું છે કે ધારાસભ્ય પોતાના અપરાધને છૂપાવવા માટે કેસ પાછો લેવાનું દબાણ કરે નહીં પણ તેઓએ આ કામ કર્યું છે. દેશને બચાવનારા લોકો જેની પર જનતાની રક્ષાની જવાબદારી છે તેઓ આવું કરશે તો સજા પણ વધારે થવી જોઈએ.
સગીરા સાથે દુષ્કર્મ કેસમાં દોષી જાહેર થયેલા ધારાસભ્ય કુલદીપ સેંગરની સજાને લઈને આજે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ચર્ચા થશે. આ કેસમાં સોમવારે દિલ્હી તીસ હજારી કોર્ટે ધારાસભ્યને સગીરા સાથે દુષ્કર્મ માટે દોષી જાહેર કર્યા હતા. મંગળવારે સજા પર સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે 20 ડિસેમ્બરે સજા પર વાતચીતની તારીખ જાહેર કરી હતી. ધારાસભ્યના પરિવારજનો, સંબંધીઓ અને નજીકના લોકોને આશા છે કે જનપ્રતિનિધિ હોવાના કારણે કોર્ટ થોડી રાહત આપી શકે છે. ધારાસભ્યના નજીકના લોકોએ દિલ્હીમાં જ નિવાસ કર્યો છે.
શું છે મામલો?
જૂન 2017માં કુલદીપ સિંહ સેંગરે પીડિતાનું અપહરણ કરીને બળાત્કાર કર્યો હતો. આ દરમિયાન તે સગીરા હતી. યૂપીમાં બાંગરમઉથી ચાર વારના ધારાસભ્ય સેંગરને ઓગસ્ટ 2019માં બીજેપીથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
આ કેસમાં કુલ 5 એફઆઇઆર નોંધવામાં આવી છે. જેમા એક પર કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. બાકી પર હજુ પણ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમા પીડિતાના પિતાની કસ્ટડીમાં થયેલ મોત, રોડ એક્સિડેન્ટમાં પીડિતાના પરિવારમાંથી મારી નાંખવામાં આવેલી બે મહિલા અને પીડિતાની સાથે કરવામાં આવેલા ગેંગરેપ અને તેના કાકાની વિરુદ્ધ કથિત રૂપે ખોટો કેસ નોંધવા સહિતના મામલાઓ સામેલ છે.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, કુલદીપ સિંહ સેંગરની સજાનું એલાન 20 તારીખે કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે, પીડિતાએ પોતાની અને પરિવારના જીવ બચાવવા માટે આ કેસને વિલંબથી રજિસ્ટર કરાવ્યો. કોર્ટે કહ્યું, અમે પીડિતાની મનની વ્યથાને સમજીએ છીએ. કોર્ટે કહ્યું કે, ગેંગરેપ વાળા કેસમાં CBIએ ચાર્જશીટ દાખલ કરવામાં એક વર્ષ કે લગાવ્યું?
આ કલમ હેઠળ દોષિત છે સેંગર
તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને આઇપીસી 120 B (ગૂનાકીય ષડયંત્ર), 363 (અપહરણ), 366 (લગ્ન માટે મજબૂર કરવાને લઇને એક મહિલાનું અપહરણ અને ઉત્પીડન), 376 (બળાત્કાર અને અન્ય સંબંધિત કલમો) અને POCSO હેઠળ દોષિત જાહેર કર્યા છે.