ઉન્નાવ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ પાંચ કેસ ઉત્તરપ્રદેશથી દિલ્હી ટ્રાન્સફર કર્યા છે. સાથે જ તમામ મામલાઓની સુનાવણી 45 દિવસમાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમે કહ્યું કે આ મામલામાં રોજ સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટે પીડિત પરિવારને સીઆરપીએફ સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ સરકારને આદેશ આપ્યો કે પીડિતાને 25 લાખ રૂપિયા આર્થિક સહાયતા આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પીડિત પરિવારે આ રાશિ તત્કાલ આપવામાં આવે. આ કેસમાં જો કોઇને ફરિયાદ હોય તો તેની સુનાવણી પણ સુપ્રીમ કોર્ટ ખુદ કરશે.
3 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા
આ ઉપરાંત ઉન્નાવ રેપ કેસમાં ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. રેપ પીડિતાની સુરક્ષામાં તૈનાત ગનર સુરેશ, મહિલા સિપાહી રૂબી પટેલ અને સુનીતાને બેદરકારી રાખવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવે છે. એમના પર અકસ્માતના સમયે પરિવાર સાથે ન રહેવાનો આરોપ લાગ્યો છે.
Unnao rape case: Supreme Court says,'taking into account the ground stated in transfer petition, and letter to the CJI, we order the transfer of all the cases from the CBI court in UP to Delhi.' pic.twitter.com/NJTxuL9EfA
મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે પીડિત પરિવારની સુરક્ષા સીઆરપીએફ બરેલીની ટીમ કરશે. સાથે જ પીડિતાના વકીલ પણ સીઆરપીએફ (CRPF)ની સુરક્ષા અપાશે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સીઆરપીએફ રિપોર્ટ આપશે.
મામલાની સુનાવણી કરતા CJI રંજન ગોગોઇએ સવાલ કર્યો કે શું પીડિતાના કાકા જેલમાં છે? પરિવારની તરફથી વકીલે કહ્યું કે એમને 2001ના એક મામલામાં દોષિત જાહેર કરાયા હતા. તેથી આ વર્ષે તેમને જુલાઇમાં એમને સજા આપવામાં આવી. એમની અરજી લંબિત છે. તથા એમને રાયબરેલી જેલમાં છે. સીજેઆઇએએ યુપી સરકારને પીડિતાના કાકાના સંબંધમાં રિપોર્ટ દાખલ કરવા કહ્યું. સાથે જ કહ્યું કે જો તે રાયબરેલી જેલથી બીજી તરફ પોતાનું ટ્રાન્સફર કરાવા માંગે છે કે નહીં. જો ઇચ્છે છે તો, ટ્રાન્સફર કરવામાં આવે.
ઉન્નાવ રેપ અને પીડિતા સાથે એક્સિડેન્ટ મામલામાં સુપ્રીમ કોર્ટે આજે બે વાર સુનાવણી કરી. સીજેઆઇએ આ મામલે કડક વલણ અપનાવતા તમામ કેસને લખનઉથી દિલ્હી ટ્રાન્સફર કર્યા છે. સાથે આદેશ આપ્યો કે પીડિતાના એક્સિડેન્ટની તપાસ સીબીઆઇ એક સપ્તાહમાં પૂર્ણ કરે.
CJIએ 7 દિવસમાં તપાસ પૂર્ણ કરવા કહ્યું
ઉન્નાવ ગેંગરેપ મામલે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ (CJI)એ સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે બળાત્કાર પીડિતા અને અન્ય રોડ એક્સિડેન્ટની તપાસ માટે કેટલો સમય જોઇએ? તેના જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું કે, 'એક મહીનો'. ચીફ જસ્ટિસે જવાબ આપ્યો કે, 'એક મહીનો નહીં, સાત દિવસમાં તપાસ પૂર્ણ કરો.'
આ પહેલા સીજેઆઇએ પૂછ્યું હતું કે, 'પીડિતાની સ્થિતિ કેવી છે?' તેના જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું કે, 'તે વેન્ટિલેટર પર છે.' ચીફ જસ્ટિસે પૂછ્યું કે, ' શું હલવાની પણ સ્થિતિમાં છે? અમે તેને તકલીફ આપવા માંગતા નથી, તેને એરલિફ્ટ કરવામાં આવી શકાય છે. અમે એઆઇઆઇએમને કહી શકીએ છીએ.'
તમામ મામલામાં ચાર્જશીટ દાખલ થઇ
'સીજેઆઇ રંજન ગોગોઇએ કહ્યું કે,'અમે લોકો બે વાગ્યે ફરી સુનાવણી હાથ ધરીશું. તમામ પાંચ કેસોને ટ્રાન્સફર કરવા, પીડિતા અને તેના વકીલના ઇલાજ માટે આદેશ પસાર કરીશું. ડોક્ટર નક્કી કરી શકે છે કે શું પીડિતા અને તેના વકીલને દિલ્હી લાવી શકાય છે? જ્યારે કોર્ટમાં સીબીઆઇ (CBI) તરફથી જોઇન્ટ ડાયરેક્ટર સંપત મીણા હાજર છે. એમણે કેસ વિશે કોર્ટમાં જાણકારી આપી. કોર્ટમાં બતાવ્યું કે તમામ મામલામાં ચાર્જશીટ દાખલ થઇ ચૂકી છે.
SCએ CBI અધિકારીને કોર્ટમાં હાજર રહેવા કહ્યું
જ્યારે ગુરુવારે ઉન્નાવ ગેંગરેપ મામલામાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પહેલાના ચાર કેસ દિલ્હીમાં ટ્રાન્સફર કરાશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં 12 વાગ્યે સુનાવણી કરશે અને સીબીઆઇના એક જવાબદાર અધિકારી કોર્ટમાં હાજર રહે. જે અધિકારી સુપ્રીમ કોર્ટને બતાવે કે શું તપાસ કરવામાં આવી.
ઉન્નાવ બળાત્કાર પીડિતાની માતાએ કેસ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. ચીફ જસ્ટિસ (CJI) રંજન ગોગોઇએ સોલિસિટર જનરલને કહ્યું છે કે તે રેપ અને રોડ એક્સિડેન્ટ સાથે જોડાયેલા કેસ વિશે CBI ડિરેક્ટર સાથે વાત કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો જરૂર પડી, તો ચેમ્બરમાં સુનાવણી કરવામાં આવી શકે છે. તેના પર સોલિસિટર જનરલ ટી મહેતાએ સીજેઆઇને જાણકારી આપી કે એમણે સીબીઆઇ ડિરેક્ટર સાથે વાત કરી હતી. મામલાની તપાસ કરી રહેલા અધિકારી લખનઉમાં છે અને દિલ્હી 12 વાગ્યે સુધી પહોંચવું સંભવ નથી. એમણે આ મામલામાં શુક્રવારે સુનાવણીની માંગ કરી હતી. પરંતુ સીજેઆઇએ સુનાવણીને સ્થગિત કરવાથી ઇનકાર કર્યો.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની આગેવાની વાળી પીઠે મહેતાની દલીલ ફગાવતા કહ્યું કે સીબીઆઇ ડિરેક્ટર ટેલીફોન પર મામલાની જાણકારી આપી શકે છે અને પીઠને ગુરુવારે તેને અવગત કરાવી શકે છે. પીઠને નિર્દેશ આપ્યો કે તે તેના સમક્ષ બપોરે 12 વાગ્યા સુધી એક એવા જવાબદાર અધિકારીની હાજરીને સુનિશ્ચિત કરે જે બળાત્કારના મામલામાં અને ત્યારબાદ એક્સિડેન્ટ મામલામાં અત્યાર સુધીમાં કરવામાં આવેલી તપાસ જણાવી શકે.
જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોસે પણ પીઠના સભ્ય છે. પીઠે કહ્યું કે, 'અમે તમામ મામલાઓને સ્થળાતંરિત કરવા જઇ રહ્યા છે. અમે આ સંબંધમાં આદેશ પસાર કરીશું.' કોર્ટે કહ્યું કે બંને મામલા સીબીઆઇને સોંપવામાં આવી દેવાયા છે. તેથી કોર્ટ કોઇ જવાબદાર સીબીઆઇ અધિકારી પાસેથી જાણકારી મેળવ્યા બાદ આદેશ પસાર કરશે.
સુપ્રીમ કોર્ટ બળાત્કાર પીડિતાના એ પત્ર પર સુનાવણી કરી રહી છે, જેમા તેને સીજેઆઇને પત્ર લખીને ભાજપા ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરના કથિત સહયોગીઓથી પોતાને જીવનું જોખમ હોવા અંગે આશંકા વ્યક્ત કરી હતી. ગત રવિવારે પીડિતાની કારને એક ટ્રકે ટક્કર મારતા, એક્સિડેન્ટમાં તેની માસી અને કાકીનું મોત થયું હતું. જ્યારે પોતે પણ ગંભીર રીતે ઘાયલ થઇ હતી. ટ્રક-કારની ટક્કર થયા બાદ કથિત બળાત્કારના મામલામાં જેલમાં બંધ સેંગર વિરુદ્ધ હત્યાનો આરોપ પણ લાગ્યો છે.
Chief Justice asks, 'What is the condition of the victim? Solicitor General says, 'She is on ventilator' CJI asks 'Is she in the condition to move? We don’t want to move the victim, she can be airlifted. We can ask AIIMS.' https://t.co/P0J17tF0bc
સુપ્રીમ કોર્ટમાં ઉન્નાવ બળાત્કાર પીડિતા દ્વારા ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ લખેલા પત્ર પર બુધવારે પોતાના સેક્રેટરી જનરલ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો કે પત્રને 17 જુલાઇએ તેમની જાણકારીમાં કેમ ન લાવવામાં આવ્યો નહોતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ બુધવારે કહ્યું હતું કે, 'દુર્ભાગ્યપુર્ણ, કે આ પત્ર હજુ સુધી સામે લાવવામાં આવ્યો નહીં પરંતુ ન્યુઝ પેપરમાં સમાચાર પ્રકાશિત થયા કે મેં પત્ર ધ્યાને લઇ લીધો છે'.
એમણે કહ્યું કે મંગળવારે સાંજે 4 વાગ્યા સુધી પત્ર તેમની જાણકારીમાં લાવવામાં આવ્યો નહોતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ દીપક ગુપ્તા, અને જસ્ટિસ અનિરુદ્ધ બોસની પીઠે કહ્યું છે કે સમાચાર પત્રોએ એવી રીતે રજૂ કર્યું કે (પત્ર બહાર આવ્યા બાદ) ચીફ જસ્ટિસે તેના પર કોઇ કાર્યવાહી જ ન કરી.