ઉન્નાવ બળાત્કારના આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને ભાજપે પાર્ટીથી સસ્પેન્ડ કર્યો છે. કુલદીપ સિંહ સેંગર પહેલાથી જ પાર્ટીથી નિલંબિત ચાલી રહ્યા હતા. રવિવારે બળાત્કારની પીડિતાની કારને ટ્રકે ટક્કર મારી હતી.
સીબીઆઇએ ઉન્નાવ બળાત્કાર પીડિતાને રોડ એક્સિડેન્ટ મામલામાં ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને 9 અન્ય વિરુદ્ધ હત્યાના આરોપો હેઠલ મામલો નોંધ્યો છે. મામલાની તપાસ કરવા માટે એજન્સી તરફથી ગઠિત વિશેષ ટીમ રાયબરેલી જિલ્લાના ગુરબખ્શગંજ વિસ્તારમાં અકસ્માત સ્થળ પર પહોંચી.
ટીમે ગૂનાના સ્થળ, મારૂતિ સ્વિફ્ટ કારને ટક્કર મારનાર ટ્ર્કનું નિરીક્ષણ કર્યું. અકસ્માત બાદ ઘટનાસ્થળે સૌથી પહેલા પહોંચી પોલીસ સાથે સીબીઆઇની ટીમે વાતચીત કરી. એજન્સીના સૂત્રોએ બતાવ્યું કે, ટીમ મહિલાની સુરક્ષામાં તૈનાત પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરશે અને પૂછપરછ કરશે કે રવિવારે તે પીડિતાની સાથે કેમ નહોતા, જ્યારે એક્સિડેન્ટ થયો.
કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને પાર્ટીથી નિષ્કાસિત કરવાની માંગને લઇને બુધવારે ઉપવાસ કર્યા. પાર્ટી હાઇકમાનના નિર્દેશ પર કોંગ્રેસ કાર્યકર્તા સવારથી જીપીઓ પાર્કમાં ઉપવાસ પર બેઠા છે. કોંગ્રેસ નેતા અજય કુમારે કહ્યું કે ઉપવાસ ધારાસભ્ય (કુલદીપ સિંહ સેંગર) ને નિષ્કાષિત કરવાની માંગને લઇને છે. કેમકે માત્ર નિલંબનથી કામ નહીં ચાલે, પાર્ટી બળાત્કાર પીડિતા અને તેના વકીલનો યોગ્ય ઇલાજ કરાવવાની માંગ કરી રહી છે. હાલ પીડિતા અને તેના વકીલનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે.
જ્યારે ગુરુવારે ઉન્નાવ ગેંગરેપ મામલામાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પહેલાના ચાર કેસ દિલ્હીમાં ટ્રાન્સફર કરાશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં 12 વાગ્યે સુનાવણી કરશે અને સીબીઆઇના એક જવાબદાર અધિકારી કોર્ટમાં હાજર રહે. જે અધિકારી સુપ્રીમ કોર્ટને બતાવે કે શું તપાસ કરવામાં આવી.
ઉન્નાવ બળાત્કાર પીડિતાની માતાએ કેસ ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. ચીફ જસ્ટિસ (CJI) રંજન ગોગોઇએ સોલિસિટર જનરલને કહ્યું છે કે તે રેપ અને રોડ એક્સિડેન્ટ સાથે જોડાયેલા કેસ વિશે CBI ડિરેક્ટર સાથે વાત કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો જરૂર પડી, તો ચેમ્બરમાં સુનાવણી કરવામાં આવી શકે છે. તેના પર સોલિસિટર જનરલ ટી મહેતાએ સીજેઆઇને જાણકારી આપી કે એમણે સીબીઆઇ ડિરેક્ટર સાથે વાત કરી હતી. મામલાની તપાસ કરી રહેલા અધિકારી લખનઉમાં છે અને દિલ્હી 12 વાગ્યે સુધી પહોંચવું સંભવ નથી. એમણે આ મામલામાં શુક્રવારે સુનાવણીની માંગ કરી હતી. પરંતુ સીજેઆઇએ સુનાવણીને સ્થગિત કરવાથી ઇનકાર કર્યો.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની આગેવાની વાળી પીઠે મહેતાની દલીલ ફગાવતા કહ્યું કે સીબીઆઇ ડિરેક્ટર ટેલીફોન પર મામલાની જાણકારી આપી શકે છે અને પીઠને ગુરુવારે તેને અવગત કરાવી શકે છે. પીઠને નિર્દેશ આપ્યો કે તે તેના સમક્ષ બપોરે 12 વાગ્યા સુધી એક એવા જવાબદાર અધિકારીની હાજરીને સુનિશ્ચિત કરે જે બળાત્કારના મામલામાં અને ત્યારબાદ એક્સિડેન્ટ મામલામાં અત્યાર સુધીમાં કરવામાં આવેલી તપાસ જણાવી શકે.
જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોસે પણ પીઠના સભ્ય છે. પીઠે કહ્યું કે, 'અમે તમામ મામલાઓને સ્થળાતંરિત કરવા જઇ રહ્યા છે. અમે આ સંબંધમાં આદેશ પસાર કરીશું.' કોર્ટે કહ્યું કે બંને મામલા સીબીઆઇને સોંપવામાં આવી દેવાયા છે. તેથી કોર્ટ કોઇ જવાબદાર સીબીઆઇ અધિકારી પાસેથી જાણકારી મેળવ્યા બાદ આદેશ પસાર કરશે.
સુપ્રીમ કોર્ટ બળાત્કાર પીડિતાના એ પત્ર પર સુનાવણી કરી રહી છે, જેમા તેને સીજેઆઇને પત્ર લખીને ભાજપા ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરના કથિત સહયોગીઓથી પોતાને જીવનું જોખમ હોવા અંગે આશંકા વ્યક્ત કરી હતી. ગત રવિવારે પીડિતાની કારને એક ટ્રકે ટક્કર મારતા, એક્સિડેન્ટમાં તેની માસી અને કાકીનું મોત થયું હતું. જ્યારે પોતે પણ ગંભીર રીતે ઘાયલ થઇ હતી. ટ્રક-કારની ટક્કર થયા બાદ કથિત બળાત્કારના મામલામાં જેલમાં બંધ સેંગર વિરુદ્ધ હત્યાનો આરોપ પણ લાગ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં ઉન્નાવ બળાત્કાર પીડિતા દ્વારા ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ લખેલા પત્ર પર બુધવારે પોતાના સેક્રેટરી જનરલ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો કે પત્રને 17 જુલાઇએ તેમની જાણકારીમાં કેમ ન લાવવામાં આવ્યો નહોતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ બુધવારે કહ્યું હતું કે, 'દુર્ભાગ્યપુર્ણ, કે આ પત્ર હજુ સુધી સામે લાવવામાં આવ્યો નહીં પરંતુ ન્યુઝ પેપરમાં સમાચાર પ્રકાશિત થયા કે મેં પત્ર ધ્યાને લઇ લીધો છે'. એમણે કહ્યું કે મંગળવારે સાંજે 4 વાગ્યા સુધી પત્ર તેમની જાણકારીમાં લાવવામાં આવ્યો નહોતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ દીપક ગુપ્તા, અને જસ્ટિસ અનિરુદ્ધ બોસની પીઠે કહ્યું છે કે સમાચાર પત્રોએ એવી રીતે રજૂ કર્યું કે (પત્ર બહાર આવ્યા બાદ) ચીફ જસ્ટિસે તેના પર કોઇ કાર્યવાહી જ ન કરી.