ઉન્નાવમાં આગના હવાલે કરવામાં આવેલ દુષ્કર્મ પીડિતાનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં નિધન થયું છે. અંદાજિત 90 ટકા દાઝી ગયેલ પીડિતાને ગુરૂવારે એરબસથી દિલ્હીના સફદરજંગ હોસ્પિટલ લાવવામાં આવી હતી. હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું કે શુક્રવાર (6 ડિસેમ્બર) રાત્રે 11:40 કલાકે પીડિતાએ અંતિમ શ્વાસ લીધા.
ઉન્નાવ રેપ પીડિતાનું નિધન
પીડિતા 95 ટકા સુધી દાઝી ચૂકી હતી: ડૉક્ટર
પીડિતાની સારવાર કરનાર ડૉ. શલભે કહ્યું કે પીડિતા 95 ટકા સુધી દાઝી ચૂકી હતી. તેને બચાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી ન શકાય.
Delhi: Unnao rape victim who was set ablaze in Unnao and airlifted to Safdarjung Hospital yesterday, died at 11:40 pm. pic.twitter.com/DpRPxu5u4c
ગુરૂવારે પીડિતાને લખનૌથી પીજીઆઈથી એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લાવવામાં આવી હતી. તેમનું શરીર 90 ટકા સુધી દાઝી ચૂક્યું હતું. પીડિતાની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
મહત્વનું છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ પર પીડિતાને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લાવવામાં આવી હતી. પીડિતાને બંદરિયા બાગ અને અર્જુનગંજ થઇને શહીદ પથ રસ્તેથી એરપોર્ટ પહોંચાડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન પીડિતાએ દમ તોડ્યો રાત્રે 11:40 કલાકે પીડિતાએ અંતિમ શ્વાસ લીધા.