ઉત્તર પ્રદેશના ઉન્નાવના અલોહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બબુરહા ગામના ખેતરમાં 2 સગીરાઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા છે. જ્યારે એક સગીર ગંભીર હાલતમાં મળી છે. પરિવારે સીબીઆઈની માંગ કરી છે. હકિકતમાં ચારો લેવા સગીરાઓ ખેતરમાં ગઈ હતી. સગીરાના કાકાને કોઈએ જાણ કરી કે ત્રણેય સગીરાઓ ખેતરમાં પડી છે. ત્રણેયને હોસ્પિટલ લઈ જવામાં આવી.
પોલીસની 6 ટીમ તેની તપાસ કરી રહી છે
ત્યારે ત્રીજીની હાલત નાજુક છે. સગીરાના ગામ તથા હોસ્પિટલમાં ભારે પોલીસ દળ તૈનાત છે. સગીરાની માતા એ કહ્યું કે સગીરાના મોંઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. પોલીસની 6 ટીમ તેની તપાસ કરી રહી છે.
આ વિસ્તારના લોકો ઘરણા પર બેઠા છે
આ દરમિયાન આ વિસ્તારના લોકો ઘરણા પર બેઠા છે. તેમની માંગ છે કે પરિવારજનોને પોલીસ સ્ટેશનમાં ન બેસાડવામાં આવે. પરિવારને ન્યાય જોઈએ. લોકોનો આરોપ છે કે પરિવારને કોઈને મળવા દેવામાં આવી નથી રહ્યા. જો કે ઉન્નાવ પોલીસે ટ્વીટ કરી આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
પરિવારના લોકોના નિવેદનમાં વિરોધાભાસ
પરિવારના લોકોના નિવેદનમાં વિરોધાભાસ છે. એટલા માટે પોલીસ એ એંગલથી પણ જોઈ રહી છે કે શું અલગ અલગ સમયે લોકોના પહોંચવાના કારણે વિરોધાભાસ છે અથવા પરિવારજનો ક્યાંક સંડોવાયેલા છે. પોલીસે આખા ખેતરને ઘેરી લીધું છે. ફોરેન્સિકની ટીમ પુરાવા ભેગા કરી રહી છે. જેનાથી સમગ્ર ઘટનાને સમજી શકાય. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જાણી શકાશે કે ઝેર ખાવામાં આવ્યુ છે કે કેમ. ઉન્નાવ એસપીના જણાવ્યાનુંસારા હજું તપાસ ચાલી રહી છે. એક યુવતીની માતાનું કહેવું છે કે યુવતીના હાથ પગ બાંધેલા નહોંતા. અને કપડા પણ બરાબર હતા. તેના મોઢાં માંથી ફીણ આવી રહ્યુ હતુ.
એરલિફ્ટ કરવાની માંગ
ઉલ્લેખનીય છે કે જીવન માટે લડી રહેલી યુવતીને એરલિફ્ટ કરવા માટે વિપક્ષ સહિત અનેક નેતાઓએ માંગ કરી છે. ત્યારે કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું કે ઉન્નાવમાં 2 દલિત બાળકીઓ મૃત મળી આવી છે. ત્રીજી ગંભીર ઘાયલ છે. તેને એરલિફ્ટ કરી એમ્સ દિલ્હીમાં સારવાર કરવામાં આવે.
ઘટના પર રાજકારણ શરુ થયું
સમાજવાદી પાર્ટીએ કહ્યું દીકરીઓ માટે કાળ બની ચૂકેલા ભાજપ શાસિત યુપીમાં સત્તા સંરક્ષિત નૃંશસ અત્યાચારની વધુ એક વિચલિત કરનારી ઘટનાનું કેન્દ્ર બન્યુ ઉન્નાવ. જંગલમાં વૃક્ષ પર બાંધી 2 દલિત યુવતીઓની હત્યા, એક અતિ ગંભીર હાલમાં હોસ્પિટલમાં ભરતી, અત્યન્ત દુઃખદ. રાક્ષસોને આકરી સજા થાય એ જ ન્યાય.’
ત્યારે કોંગ્રેસન પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂએ કહ્યું કે ઉન્નાવમાં 3 દીકરીઓની સાથે થયેલી બર્બરતાએ દેશના હચમચાવી દીધો છે. યુપીમાં દીકરી હોવુ અભિશાપ છે. એક બાદ એક જિલ્લામાં દીકરીઓ સાથે બર્બરતા, ઉન્નાવમાં એવી ઘચનાઓની પુનરાવૃત્તિ યોગી સરકારના નિષ્ક્રિયતાનું પરિણામ છે. સીએમને પદ પર રહેવાનો અધિકાર નથી.
શું છે સમગ્ર મામલો
અસોહા પોલીસ સ્ટેશનના બબુરહા ગામમાં 3 યુવતીઓ ખેતરમાં બેભાન હાલતમાં મળી હતી. ઘટનાસ્થ પર ઘણો બધું ફીણ પડ્યુ હતુ. ડોક્ટરો દ્વારા પ્રથમ દ્રષ્ટા પ્લાઈજન સિમ્પટમ્સ હોવાનું કહેવામાં આવ્યુ. 3માંથી 2ના મોત થઈ ચૂક્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર છે. તેમને કાનપુરમાં રિજેન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અહીં દાખલ યુવતીનું સીટી સ્કેન કરવામાં આવ્યુ. તે હજું ભાનમાં નથી આવી. બીજી તરફ યુવતીની માતાનું કહેવું છે કે યુવતીના હાથ પગ બાંધેલા નહોંતા. અને કપડા પણ બરાબર હતા. તેના મોઢાં માંથી ફીણ આવી રહ્યુ હતુ. તેમને ખેતરમાંથી હોસ્પિટલ લગાવાઈ જ્યાં 2ના મોત થયા છે.
2 દલિત સગીરાના મોતથી લખનૌમાં હડકંપ મચ્યો છે.સ્થળ પર આઈજી અનેડીઆઈજી સહિત પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા. ઉન્નાવના એસપી આનંદ કુલકર્ણીનું કહેવું છે કે ઘટનાસ્થળ પર હાજર લોકોના નિવેદન દાખલ કરવામાં આવ્યા છે. જરુરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.