ઉન્નાવમાં દલિત પરિવારની બે યુવતીઓના શંકાસ્પદ મોત મામલે ઉત્તરપ્રદેશ પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી છે. જેમાં ઉન્નાવ કાંડમાં પોલીસે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.
ઉન્નાવમાં દલિત પરિવારની બે યુવતીઓના શંકાસ્પદ મોત મામલો
ઉત્તરપ્રદેશ પોલીસે પ્રેસ કોન્ફરન્સ મહત્વપૂર્ણ ખુલાસો કર્યો
કીટનાશક ભેળવેલું પાણી પીવાથી મોત: પોલીસ
શુક્રવારે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. આ પહેલા ગુરૂવારે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. અત્યાર સુધીની પૂછપરછમાં થયેલા ખુલાસાઓ અંગે પોલીસે માહિતી આપી છે. આરોપી વિનયે ગુનો કબૂલ્યો છે.
ઉન્નાવના ડીએમ રવિન્દ્ર કુમારે કહ્યું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતક યુવતીઓના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની સહાય આપવાનું એલાન કર્યું છે. ત્યારે ઇજાગ્રસ્ત યુવતીને 2 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. યુવતીની સારવાર મુખ્યમંત્રી સહાયતા ફંડથી મફત થશે.
ત્યારે લખનૌ રેન્જના આઇજી લક્ષમીસિંહે મોટો ખુલાસો કરતા કહ્યું કે, આ હત્યાના સાચા કારણોની જાણ થઇ ગઇ છે. ધરપકડ કરાયેલા બે શખ્સોમાંથી એકનું નામ વિનય છે. આરોપી વિનયની એક યુવતી સાથે મિત્રતા હતી. વિનયે પૂછપરછમાં જણાવ્યું કે તે એક યુવતી સાથે પ્રેમ કરતો હતો. તે યુવતીનો મોબાઇલ નંબર માંગ્યો હતો. પરંતુ તેણે ફોન નંબર આપવાની ના પાડી દીધી હતી.
વિનય આ વાતને લઇને ખુબ જ નારાજ થઇ ગયો હતો. જ્યાર બાદ તેમણે તમામ યુવતીઓને પાણીમાં કીટનાશક ભેળવીને પિવડાવ્યુ હતું. ફૉરેન્સિક ટીમને ઘટના સ્થળે કીટનાશકની બોટલ મળી હતી. બીજો આરોપી વિનયનો મિત્ર છે. જેમણે સમગ્ર ઘટનાક્રમમાં તેની મદદ કરી હતી. તે સગીર છે.
લખનૌ રેન્જના આઈજી લક્ષમીસિંહ, ઉન્નાવના એસપી આનંદ કુલકર્ણી, ડીએમ ઉન્નાવ રવિન્દ્ર કુમારે મીડિયા સાથે વાતચીત કરતા આ મહત્વપૂર્ણ વાત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉન્નાવના અસોહા પોલીસ સ્ટેશન વિસ્તારના પાઠકપુરના મજરે બબુરહામાં આ બુધવારે બપોરે 3 વાગ્યે અંદાજિત કાકી અને ભત્રીજી ખેતરમાં પશુઓ માટે ઘાસચારો લેવા ગઇ હતી, પરંતુ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરી.
સાંજે પરિવારજનો યુવતીને શોધવા માટે નિકળ્યા. પરિવારજનોના જણાવ્યા અનુસાર, ખેતરમાં ત્રણ યુવતીઓ કપડામાં બંધાયેલી મૃત્યુ પામેલી હાલતમાં મળી હતી. જ્યારે તેમને હોસ્પિટલ લઇ જવાયા તો બન્ને મૃત નિકળી, જ્યારે ત્રીજીની હાલત ગંભીર હતી.
હોસ્પિટલમાં દાખલ યુવતિનું મેડિકલ બુલેટિન કરાયું જાહેર
કાનપુરના રીજેન્સી હોસ્પિટલમાં દાખલ પીડિતાને લઇને આજે શુક્રવાર સવારે એક મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું. હોસ્પિટલના પીઆરઓ પરમજીત સિંહનું કહેવું છે કે, યુવતીના શરીરમાં અત્યાર સુધીમાં કોઇ હલચલ નથી થઇ રહી, પરંતુ અમે જે સારવાર કરી રહ્યા છીએ, તેની સકારાત્મક અસર થઇ રહી છે. તેઓ હાથ પગ હલાવી રહી છે. અમે આશા કરી રહ્યા છીએ કે ધીરે-ધીરે યુવતીને વેન્ટિલેટર સપોર્ટથી હટાવવા તરફ વધી રહી છે. 24 કલાકમાં રિસ્પોન્સ સામે આવશે.
Girl is stable. She has started responding to line of treatment. We're trying to gradually decrease her ventilator support, her body is responding. We hope she'll be fine soon. She can move her hands & legs: PRO, Regency Hospital, Kanpur on Unnao case victim admitted at hospital pic.twitter.com/HLtYodi9WS