ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં દલિત યુવતીઓના મોતનો મામલો વેગ પકડવા જઈ રહ્યો છે. કોંગ્રેસે યુવતીને એરલિફ્ટ કરવાની માંગ કરી છે.
છોકરીને દિલ્હી એરલિફ્ટ કરવાની માંગ કરવામાં આવી
યુવતીની સારવાર કાનપુરના રીજેન્સી હોસ્પિટલમાં ચાલી રહી છે
એકમાત્ર સાક્ષી બચેલીની સારી સારવાર અને તેની સુરક્ષા વધારે જરુરી
છોકરીને દિલ્હી એરલિફ્ટ કરવાની માંગ કરવામાં આવી
બુધવારે અસોહાના ખેતરમાં 3 દલિત સગીરા શંકાસ્પદ સ્થિતિમાં મળી હતી. જેમાંથી 2ના મોત થઈ ગયા છે. જ્યારે એકની સારવાર કાનપુરના રીજેન્સી હોસ્પિટલમાં ચાલી રહી છે. ભીમ આર્મીથી લઈને કોંગ્રેસ સુધી છોકરીને દિલ્હી એરલિફ્ટ કરવાની માંગ કરવામાં આવી છે.
એકમાત્ર સાક્ષી બચેલીની સારી સારવાર અને તેની સુરક્ષા વધારે જરુરી
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે ટ્વીટ કરી કહ્યુ કે ઉન્નાવ કેસ એકમાત્ર સાક્ષી બચેલીની સારી સારવાર અને તેની સુરક્ષા વધારે જરુરી છે. બાળકીઓને તાત્કાલીક એમ્બ્યૂલન્સથી AIIMS દિલ્હી લઈ જવાય. ઉત્તર પ્રદેશ સરકારના ગુનેગારોને સંરક્ષણ તથા ગુનાહિત મામલામાં સરકારની ગતિશૈલી દેશ હાથરસ કેસમાં જોઈ ચૂક્યો છે.
આરોપીઓની ધરપકડ ન કરવામાં આવે ત્યાં સુધી લાશને સ્વીકાર ન કરે
ત્યારે જિગ્નેશ મેવાણીએ કહ્યું ઉત્તર પ્રદેશના તમામ લોકોમે મારી અપીલ છે કે જ્યાં સુધી ઉન્નાવની દુર્ઘટનાની પીડિત બહેનોના આરોપીઓની ધરપકડ ન કરવામાં આવે ત્યાં સુધી લાશને સ્વીકાર ન કરે. ન્યાય માટે દબાણ બનાવો, એક બહેનની સારામાં સારા હોસ્પિટલમાં ચિકિત્સા કરવામાં આવે.
ઉન્નાવમાં 2 દલિત બાળકીઓ મૃત મળી આવી
સમાજવાદી પાર્ટીએ કહ્યું દીકરીઓ માટે કાળ બની ચૂકેલા ભાજપ શાસિત યુપીમાં સત્તા સંરક્ષિત નૃંશસ અત્યાચારની વધુ એક વિચલિત કરનારી ઘટનાનું કેન્દ્ર બન્યુ ઉન્નાવ. જંગલમાં વૃક્ષ પર બાંધી 2 દલિત યુવતીઓની હત્યા, એક અતિ ગંભીર હાલમાં હોસ્પિટલમાં ભરતી, અત્યન્ત દુઃખદ. રાક્ષસોને આકરી સજા થાય એ જ ન્યાય.’ ત્યારે કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું કે ઉન્નાવમાં 2 દલિત બાળકીઓ મૃત મળી આવી છે. ત્રીજી ગંભીર ઘાયલ છે. તેને એરલિફ્ટ કરી એમ્સ દિલ્હીમાં સારવાર કરવામાં આવે.
શું છે સમગ્ર મામલો
અસોહા પોલીસ સ્ટેશનના બબુરહા ગામમાં 3 યુવતીઓ ખેતરમાં બેભાન હાલતમાં મળી હતી. ઘટનાસ્થ પર ઘણો બધું ફીણ પડ્યુ હતુ. ડોક્ટરો દ્વારા પ્રથમ દ્રષ્ટા પ્લાઈજન સિમ્પટમ્સ હોવાનું કહેવામાં આવ્યુ. 3માંથી 2ના મોત થઈ ચૂક્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર છે. તેમને કાનપુરમાં રિજેન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અહીં દાખલ યુવતીનું સીટી સ્કેન કરવામાં આવ્યુ. તે હજું ભાનમાં નથી આવી. બીજી તરફ યુવતીની માતાનું કહેવું છે કે યુવતીના હાથ પગ બાંધેલા નહોંતા. અને કપડા પણ બરાબર હતા. તેના મોઢાં માંથી ફીણ આવી રહ્યુ હતુ. તેમને ખેતરમાંથી હોસ્પિટલ લગાવાઈ જ્યાં 2ના મોત થયા છે.
2 દલિત સગીરાના મોતથી લખનૌમાં હડકંપ મચ્યો છે.સ્થળ પર આઈજી અનેડીઆઈજી સહિત પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા. ઉન્નાવના એસપી આનંદ કુલકર્ણીનું કહેવું છે કે ઘટનાસ્થળ પર હાજર લોકોના નિવેદન દાખલ કરવામાં આવ્યા છે. જરુરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.