કોરોના વાયરસના કારણે જ્યાં એક તરફ દરરોજ હજારો લોકો જીવ ગુમાવી રહ્યા છે બીજી તરફ અનેક સંસ્થાઓ દ્વારા નવી નવી શોધ કરવામાં આવી રહી છે. હવે જે શોધ કરવામાં આવી છે તેના કારણે દુનિયાભરમાં અવિવાહિત લોકોની ચિંતામાં વધારો થઇ શકે છે.
કોરોના વાયરસના કારણે થયેલ મોત પર કરાઈ શોધ
અપરિણીત લોકો પર કોરોના વાયરસથી મોતનો ખતરો વધારે
સ્વીડનની યુનિવર્સિટીએ પોતાની સ્ટડીમાં કર્યો દાવો
સિંગલ લોકોએ ચેતવાની જરૂર
સ્વસ્થ જીવન માટે હવે પરિણીત હોવું જરુરી બની રહ્યું છે. મહામારીના આ સંકટમાં નવી શોધમાં આ સાબિત પણ થઇ રહ્યું છે. એક નવી સ્ટડી અનુસાર કોરોના વાયરસથી કુંવારા લોકો પર મોતનો ખતરો પરિણીતની તુલનામાં વધારે છે. સ્વીડનની યુનિવર્સિટી ઓફ સ્ટોકહોમ દ્વારા આ શોધ કરવામાં આવી છે અને તેના શોધકર્તાઓએ તેને લઈને ચેતવણી પણ આપી છે.
કોરોનાથી થતી મોત પર કરાયો દાવો
શોધકર્તાઓનો દાવો છે કે કુંવારા લોકો સિવાય ઓછી આવક ધરાવતા, અશિક્ષિત અને ઓછી આવક ધરાવતા દેશોમાં કોરોના વાયરસના કારણે મોતની સંભાવના વધારે છે. આ શોધ સ્વીડનમાં કોરોના વાયરસથી થયેલ મોતના ડેટાનાં આધારે કરવામાં આવી છે.
અવિવાહીત પુરુષ અને મહિલા પર મોતનો ખતરો વધારે
સ્ટડીમાં 20 કે તેથી વધુ ઉંમરના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. સ્ટડીના લેખક સ્વેનનું કહેવું છે કે કોરોના વાયરસ થયેલ મોતની સાથે ઘણા બધા ફેકટર્સ જોડાયેલા છે. રિપોર્ટ અનુસાર અવિવાહીત પુરુષો અને મહિલાઓમાં કોરોના વાયરસથી મોતનો ખતરો વિવાહિતની તુલનામાં દોઢ ગણો વધારે છે. આ લિસ્ટમાં અપરિણીતની સાથે વિધવા અને વિધુર લોકો પણ સામેલ છે.
શું છે કારણ ?
રિપોર્ટમાં વધુ એક ખૂબ મોટો દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓની તુલનામાં પુરુષોમાં કોરોનાથી મોતનો ખતરો બે ગણો વધારે છે. આ પહેલા પણ કેટલીક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો હતો કે સિંગલ લોકોમાં વિભિન્ન બીમારીઓથી વધારે મોત થાય છે. શોધકર્તાઓએ કહ્યું કે વિવાહિત કપલની તુલનામાં સિંગલ લોકોને ઓછું સંરક્ષિત વાતાવરણમાં રહેવા મળે છે. અને તેના કારણે વિવાહિત લોકો ઓછા બીમાર પડે છે અને સ્વસ્થ જીવન પસાર કરી આનંદ લઇ શકે છે.