સાબરકાંઠા: રાજ્યમાં પહેલા ધોધમાર વરસ્યા બાદ હવે મેઘરાજાએ હાથતાળી આપી દીધી છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ત્યારે સાબરકાંઠામાં મેઘરાજાને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
લંઘેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરી મેઘરાજાને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગામની કુંવારી દીકરીઓએ મંદિરમાં ગર્ભગૃહમાં પાણી ભરી મેઘરાજા મહેરબાન થાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા.
એક તરફ વરસાદનો માહોલ છે પરંતુ પુરતા પ્રમાણમાં વરસાદ નહીં વરસવાને કારણે ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદની સિઝન હોવા છતાં વરસાદ પુરતા પ્રમાણમાં નહીં પડવાને કારણે ગુજરાતની જનતા પણ પરેશાન થઇ છે ત્યારે આજરોજ સાબરકાંઠામાં મેઘરાજાને મનાવવા માટે અનોખી રીતે શિવલિંગ પર જળાભિષેક કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગામની કુંવારીકાઓ દ્વારા લંઘેશ્વર મહાદેવના મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરીને મેઘરાજાને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. આજરોજ સાબરકાંઠાના જાણીતા મહાદેવ ખાતે ગામની કુંવારી દીકરીઓએ મંદિરમાં શિવલિંગ પર જળાભિષેક કરીને મેઘરાજાને મહેરબાન થવા વિનંતી કરી હતી.