વાસ્ત્રુશાસ્ત્ર અનુસાર નિર્જીવ વસ્તુઓની પણ એક પોતાની ઉર્જા હોય છે. ખોટી કે નકરાત્મક ઉર્જા ધરાવતી વસ્તુઓ ઘરમાં રાખવાથી દુર્ભાગ્ય અને ગરીબીનો સામનો કરવો પડે છે. જોકે વાસ્તુના જાણકાર વ્યકિતએ એવી વસ્તુઓ વિશે જણાવ્યુ જેને ભૂલથી પણ ઘરમાં ન રાખવી જોઇએ. જો આ વસ્તુઓમાંથી એક પણ વસ્તુ તમારા ઘરમાં છે તો તેને તરત જ દૂર કરી દેવી જોઇએ.
જૂના કે ફાટેલા કપડાની પોટલી:
લગભગ લોકો પોતાના ઘરમાં ફાટેલ-જૂનાં કપડાની પોટલી રાખતા હોય છે. જૂના-ફાટેલા કપડા અથવા તો ચાદરોથી ઘરમાં નકરાત્મક ઉર્જાનું નિર્માણ થાય છે. આ પ્રકારના કપડાનું દાન કરવું જોઇએ અથવા તો કોઇને કોઇ કામમાં તેનો ઉપયોગ કરવો જોઇએ.
દેવી-દેવતાની મૂર્તિ અથવા ચિત્ર:
દેવી-દેવતાઓની ફાટેલી અથવા તો જૂની ફોટો અથવા ખંડિત મૂર્તિઓથી આર્થિક હાનિ થઇ શકે છે. આથી તેણે નદીમાં પ્રવાહિત કરી દેવી જોઇએ. દેવી-દેવતાઓની ફોટો અથવા તો મૂર્તિઓને નિશ્ચિત સંખ્યા અને સ્થાન પર રાખવી જોઇએ. એક જ દેવી અથવા દેવતા 3-3 મૂર્તિઓ રાખવી પણ વાસ્તુદોષ ઉભો થાય છે.
ઘરની છત:
ઘરની થતા પર ખરાબ થઇ ગઇ હોય તો આર્થિક તંગી ઉભી થાય છે જેની અસર પરિવાર પર પડી શકે છે અને સાથે જ પિતૃ દોષ પણ ઉતપન્ન થાય છે.
પથ્થર નંગ :
કેટલાક લોકો અનાવશ્યક પથ્થર નંગ અંગૂઠી અથવા તો આ પ્રકારનો સામાન ઘરમાં રાખે છે. કયો નંગ ફાયદો પહોંચાડશે કે કયો નંગ નુકસાન પહોંચાડશે તે અંગેની જાણકારી હોતી નથી તેમ છતાં ઘરમાં રાખે છે.
તૂટેલી વસ્તુઓ:
કોઇ પણ પ્રકારની તૂટેલી-ફૂટી ગયેલી વસ્તુઓને ઘરમાં ન રાખવી જોઇએ જેનાથી ઘરમાં વાસ્તુ દોષ ઉતપન્ન થાય છે જેના કારમે લક્ષ્મીજીનું આગમન નથી થઇ શકતું.
આ પ્રકારની તસ્વીર ન રાખો:
કહેવાય છે કે તાજમહલની ફોટો ડૂબતી હોડી ફૂવારા જંગલી જાનવરોની ચિત્ર કે કાંટાદાર ઝાડના ચિત્રો ઘરમાં ના રાખવા જોઇએ જેનાથી મન પર ખરાબ પ્રભાવ પડે છે અને સતત આ ચિત્રો જોવાથી જીવનમાં સારી ઘટના બનાવી બંધ થઇ જાય છે.
કરોયિળાનું જાળું:
ઘરમાં બનતા કરોળિયાના જાણને તરત જ દૂર કરો જેથી ખરાબ દિવસો સારા દિવસોમાં ફેરવાઇ જશે. કરોળિયાંના જાળાથી ઘર-દુકાનમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે આ માટે ઘર-દુકાનામાં તેની અશુભ અસર પડે છે.
સોફા ખુરશી અને ટેબલ:
તમારા ઘરમાં તૂટેલી ખુરશી કે ટેબલ હોય તો તેને ઘરમાંથી નીકાળી દો જે તમારા પૈસા અને બઢોતરીમાં રોકી દે છે. બેઠકના રૂપમાં સોફા પણ તૂટેલા હોય તો તેની અસર પણ ખરાબ પડે છે.